VIDEO: દેવગઢ બારીયા: પત્નીના મોતથી આઘાતમાં આવેલા પતિએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, સુસાઈડ નોટ મળી
સોર્સ : gstv
દેવગઢ બારીયા તાલુકાના નગવાવ ગામે ગિરીશ રાઠવા નામના યુવકે પત્નીના વિયોગમાં આંબાના ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ગત 19 ઓગસ્ટે ખાનગી હોસ્પિટલમાં સિઝર ઓપરેશનથી પત્ની દક્ષાએ બે જોડ પુત્રીઓને જન્મ આપ્યો હતો, પરંતુ ઓપરેશન દરમિયાન તબિયત લથડતાં ગોધરા રિફર કરાતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા….પત્નીના મોતથી ભાંગી પડેલા ગિરીશે આપઘાત કરતા પૂર્વે એક સુસાઈડ નોટ લખી હતી, જેમાં ખાનગી હોસ્પિટલના તબીબની બેદરકારીથી પત્નીનું મૃત્યુ થયાનો આક્ષેપ કર્યો છે. સાગટાળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. માતા-પિતા બંનેના નિધનથી બે માસૂમ દીકરીઓ અનાથ થઈ છે.

