Video: Chhota Udaipurમાં પ્રસુતા મહિલાને ઝોળીમાં ભરીને 5 કિમી ચાલી હોસ્પિટલ લઇ ગયા
સોર્સ : gstv
આઝાદીના ૭૮ વર્ષ વીત્યા હોવા છતાં, આદિવાસી વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ હજુ પણ વાસ્તવિકતા છે. છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના આંબાડુંગર માનુકલા ફળિયામાંથી કોકિલાબેન અરવિંદભાઈ ભીલ નામની પ્રસુતાને ૨૬ સપ્ટેમ્બરે સાંજે ૫ વાગ્યે પ્રસવ વેદના થતાં પરિવારજનોએ તેમને ઝોળીમાં ભરીને હાફેશ્વરથી 5 કિમી દૂર કવાંટ સરકારી દવાખાને લઈ જવું પડ્યું. કાચા રસ્તાઓને કારણે આ પ્રક્રિયા જોખમી અને કષ્ટદાયી બની.
ચૂંટણી દરમિયાન મત મેળવી ચૂંટાયેલા નેતાઓ પછી અદૃશ્ય થઈ જાય છે. આદિવાસી વિસ્તારોમાં રસ્તા, પાણી અને આરોગ્ય સુવિધાઓનો અભાવ જીવનને જોખમમાં મુકે છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ અહીં ગામના લોકોને પાકા રસ્તા મળ્યા નથી.

