Chhota Udaipur: ડુંગરવાંટ બ્રિજ પર ગાબડું, તંત્રએ આપ્યું હતું ડાયવર્ઝન
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર વિસ્તારમાં આવેલા ડુંગરવાંટ બ્રિજ પર ગાબડું પડવાની ઘટના સામે આવી છે. આ બ્રિજ પર ભુવો પડતાં વાહનવ્યવહારને અસર થઈ છે. ડુંગરવાંટ બ્રિજ ઉપર તંત્રએ ડાયવર્ઝન આપ્યું હતું. જે હવે બંધ કરી દેવામાં આવ્યું છે.
આ ઘટનાને કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા બ્રિજની તપાસ અને સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઘટના રાજ્યમાં બ્રિજની જાળવણી અને સલામતીના મુદ્દે ચિંતા ઉભી કરે છે

