VIDEO: નસવાડીમાં મનરેગાના 14 પંચાયત ઘરો ચાર વર્ષથી અધૂરા, લાખોના ખર્ચ સામે સવાલો
સોર્સ : gstv
છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં મનરેગા યોજના હેઠળ બનાવવામાં આવેલા પંચાયત ઘરોની કામગીરીને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે. તાલુકામાં અંદાજે 14 જેટલા પંચાયત ઘરો છેલ્લા ચાર વર્ષથી અધૂરા હોવાનું સામે આવ્યું છે. લાખો રૂપિયાનો ખર્ચ અને મટીરિયલના બિલોની ચુકવણી બાદ પણ અનેક ઇમારતોનું કામ પૂર્ણ થયું નથી. આક્ષેપ છે કે કામ પૂર્ણ થયા વિના જ મટીરિયલના નામે બિલોની ચુકવણી કરવામાં આવી હતી. આશરે 50 લાખ રૂપિયાના ખર્ચ સામે સ્થળ પર કામગીરી અધૂરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. 15 ઓગસ્ટથી નવી જી-રામજી યોજના શરૂ થવાની ચર્ચા વચ્ચે જૂની ફાઈલો કમ્પ્લિશન સર્ટિફિકેટના આધારે બંધ કરવાની કવાયત સામે પણ સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોએ ફાઈલો બંધ કરતા પહેલાં સ્થળ તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે.

