VIDEO: ભાદરવી અમાસના દિવસે કોળીયાકના મેળા માટે રાજવી પરિવાર દ્વારા 131મી ધજા નું પૂજન કરવામાં આવ્યું
સોર્સ : gstv
ભાવનગર નજીકના કોળીયાક ખાતે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસનો ભવ્ય મેળો ભરાતો હોય છે..તે પૂર્વે વહેલી સવારે ભાવનગરના રાજવી પરિવાર દ્વારા પૂજા અર્ચના કરાયેલી ધજા નિષ્કલંક મહાદેવને ચઢાવવામાં આવે છે અને ત્યારબાદ શ્રદ્ધાળુઓને દર્શન માટે ત્યાં જવા દેવામાં આવે છે. જેને લઈને આજે નીલમબાગ પેલેસ ખાતે રાજવી પરિવાર દ્વારા સરવૈયા કુટુંબ દ્વારા લાવવામાં આવેલી ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું.

