VIDEO: લઠ્ઠાકાંડનો રેલો સિહોર પહોંચ્યો, દારૂની બોટલો નાશ કરનાર બે ઝડપાયા
સોર્સ : gstv
ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટી કાર્યવાહી કરતાં સિહોર પોલીસે પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવ નામના બે બુટલેગરોની ધરપકડ કરી છે. પૂછપરછમાં ખુલાસો થયો છે કે વરતેજના હરદીપ મોરી પાસેથી ખરીદેલી દારૂની બોટલો ખરાબ લાગતાં અડધી પરત આપી બીજી બોટલો મેળવી હતી. લઠ્ઠાકાંડ સામે આવતાં બંનેએ સિહોરના સર ગામની સીમમાં રોયલ સ્ટેગની સાડા ચાર પેટીનો નાશ કર્યો હતો. પોલીસે રૂ. 65,800નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય સામે ગુનો નોંધ્યો છે.

