Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Jagannath's 41st Rath Yatra kicks off with fanfare in Bhavnagar, Prabhu's chariot given 'Guard of Honour' by retired soldiers

VIDEO: Bhavnagarમાં જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રાનો ધામધૂમથી પ્રારંભ, નિવૃત્ત સૈનિકો દ્વારા પ્રભુના રથને 'ગાર્ડ ઓફ ઓનર' અપાયું

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગરમાં આજે ભક્તિ અને ટેકનોલોજીના અદ્ભુત સમન્વય સાથે ભગવાન જગન્નાથજીની ૪૧મી ભવ્ય રથયાત્રાનો ધામધૂમથી પ્રારંભ થયો છે. ગુજરાતમાં બીજા ક્રમની ગણાતી આ ઐતિહાસિક રથયાત્રામાં રાજવી પરિવાર દ્વારા સોનાની સાવરણીથી 'પહિંદ વિધિ' કરવામાં આવી હતી, જ્યારે નિવૃત્ત સૈનિકો દ્વારા પ્રભુના રથને 'ગાર્ડ ઓફ ઓનર' આપી પ્રસ્થાન કરાવાયું હતું. આ પ્રસંગે પૂર્વ મંત્રી જીતુ વાઘાણી, કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, પ્રખ્યાત કથાકાર મોરારીબાપુ તેમજ વિવિધ સાધુ-સંતો અને રાજકીય આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ભોઈ સમાજ દ્વારા ખેંચવામાં આવતો આ રથ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના ૧૮ કિલોમીટર લાંબા રાજમાર્ગો પર નગરચર્યાએ નીકળ્યો છે. ભાવિક ભક્તોના ભારે ઉત્સાહ વચ્ચે, આ વર્ષે રથયાત્રામાં હાઈટેક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને મુખ્ય રથને સીસીટીવી (CCTV) અને જીપીએસ (GPS) સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યો છે, જે સમગ્ર રૂટ પર બાજ નજર રાખશે.

App Store