VIDEO: ભાવનગર લઠ્ઠાકાંડ: એસએમસીના આઈજી ગગનદીપ ગંભીરની ફરી મુલાકાત, રિમાન્ડ પૂરા થતાં મોટા ખુલાસાની શક્યતા
સોર્સ : gstv
ભાવનગર લઠ્ઠાકાંડના પ્રકરણમાં તપાસ તેજ કરવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલના આઈજી ગગનદીપ ગંભીર ફરીવાર ભાવનગર દોડી આવ્યા છે. શંકાસ્પદ સંજોગોમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓના પરિવારજનોના નિવેદનો નોંધવાની સાથે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. અગાઉ ઝડપાયેલા ૧૪ આરોપીઓના પોલીસ રિમાન્ડ આવતીકાલે પૂરા થઈ રહ્યા છે, ત્યારે વધુ રિમાન્ડ માંગવામાં આવશે કે કેમ અને આ સમગ્ર કેસમાં સ્થાનિક પોલીસની કોઈ ભૂમિકા છે કે નહીં તે અંગે મોટા ખુલાસા થવાની સંભાવના સેવાઈ રહી છે.

