VIDEO: અંકલેશ્વર જીઆઈડીસીમાં ગણેશ વિસર્જન માટે બે કૃત્રિમ કુંડ તૈયાર, પાંચ ફૂટ સુધીની મૂર્તિઓ પધરાવી શકાશે
સોર્સ : gstv
ભરૂચના અંકલેશ્વર ગણેશ મહોત્સવને લઈને ગણેશજીની પ્રતિમાના યોગ્ય વિસર્જન માટે બે કૃત્રિમ કુંડ તૈયાર કરાયા છે.... જેમાં પાંચ ફૂટ સુધીની શ્રીજીની પ્રતિમાઓનું સરળતાથી વિસર્જન કરી શકાશે. નદી-નાળામાં થતું ગંભીર જળ પ્રદૂષણ અટકાવવા માટે પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કુંડમાં વિસર્જિત થનાર તમામ મૂર્તિઓનો તંત્ર દ્વારા ખૂબ જ વૈજ્ઞાનિક ઢબે અને યોગ્ય રીતે નિકાલ કરવામાં આવશે, જેથી પર્યાવરણની પણ પૂરતી જાળવણી થઈ શકે.

