VIDEO: જંબુસરમાં ગણેશ વિસર્જન પૂર્વે યોજાઈ શાંતિ સમિતિની બેઠક: ભાઈચારા સાથે પર્વ ઉજવવા અપીલ
સોર્સ : gstv
જંબુસરમાં આગામી રવિવારે યોજાનાર ગણેશ વિસર્જનનો કાર્યક્રમ શાંતિમય રીતે સંપન્ન થાય તે માટે પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ડીવાયએસપી પી.એલ. ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ગણેશ પંડાલોના આયોજકો તથા હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.....વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા જરૂરી સૂચનાઓ અપાઈ હતી. આયોજકો અને આગેવાનોએ વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ બેઠક દ્વારા જંબુસરમાં કોમી એકતા અને ભાઈચારાની ભાવના સાથે ઉત્સવ ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.

