Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : 114 Kavad Yatris left Bharuch for Surat, set out on foot with Har Har Mahadev's Jai Ghosh.

VIDEO: ભરૂચથી સુરત તરફ ૧૧૪ કાવડ યાત્રીઓ રવાના, હર હર મહાદેવના જયઘોષ સાથે પગપાળા નીકળ્યા

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચના ઝાડેશ્વર પાસે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સુરતના શિવશક્તિ મહાસંઘના ૧૧૪ કાવડ યાત્રીઓએ નર્મદા નદીનું પવિત્ર જળ કાવડમાં ભરીને સુરત જવા રવાના થયા. શ્રાવણ માસમાં આયોજિત ૧૪મી ઉભી કાવડ યાત્રા હેઠળ યાત્રીઓ હર હર મહાદેવના જયઘોષ સાથે પગપાળા નીકળ્યા. તેઓ સુરતના પાલનપુર પાટિયા વિસ્તારના દુધેશ્વર મહાદેવ મંદિર ખાતે સોમવારે સવારે જળાભિષેક કરશે. દર વર્ષે નિયમિતપણે આ યાત્રા કરી શિવજીની કૃપા મેળવવાની માન્યતા છે.

App Store