Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : VIDEO: Shakambhari Navratri begins at pilgrimage site Ambaji: Chachar Chowk buzzes with devotees from across the country and abroad

VIDEO: યાત્રાધામ અંબાજીમાં શાકંભરી નવરાત્રીનો પ્રારંભ: દેશ-વિદેશના ભક્તોથી ચાચર ચોક ગૂંજી ઉઠયો

Timeછેલ્લું અપડેટ : 28 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ઉત્તર ગુજરાતના જાણીતા આદ્યશક્તિ પીઠ અંબાજીમાં આજે ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. 28 ડિસેમ્બર રવિવારથી શરૂ થયેલી શાકંભરી નવરાત્રી નિમિત્તે માતાજીના દર્શન કરવા માટે ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે. આ મહોત્સવ આગામી ૩ જાન્યુઆરી, પોષી પૂનમ સુધી ચાલશે, જે દિવસે આ નવરાત્રીની પૂર્ણાહુતિ થશે.

App Store

શક્તિદ્વાર સુધી ભક્તોની લાંબી કતારો

વહેલી સવારથી જ અંબાજી મંદિરના પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર 'શક્તિદ્વાર' થી લઈને ગર્ભગૃહ સુધી શ્રદ્ધાળુઓની લાંબી લાંબી લાઈનો લાગેલી છે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ પડોશી રાજ્ય રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી પણ હજારો ભક્તો માતાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા છે.

રાજસ્થાનની મહિલાઓની વિશેષ પૂજા અને ભજન

આજના દિવસે રાજસ્થાનથી આવેલી ૩૬ મહિલાઓના એક સમૂહે આકર્ષણ જમાવ્યું હતું. આ મહિલાઓએ શક્તિદ્વાર પાસે શાસ્ત્રોક્ત વિધિથી અષ્ટમીની પૂજા કરી હતી. પૂજા બાદ તમામ મહિલાઓએ માતાજીના ભજન ગાયા હતા અને પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

સાત સમંદર પારથી આવેલા ભક્તો: ઈટલીના શ્રદ્ધાળુઓએ રમ્યા ગરબા

મા અંબા પ્રત્યેની આસ્થા માત્ર ભારત પૂરતી સીમિત નથી. આજે અંબાજીના ચાચર ચોકમાં એક અદભુત દ્રશ્ય જોવા મળ્યું જ્યારે ઈટલીથી આવેલા મહિલા અને પુરુષ ભક્તો ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. વિદેશી ભક્તોને ગરબા રમતા જોઈ અન્ય શ્રદ્ધાળુઓ પણ મંત્રમુગ્ધ થયા હતા. આ ઘટના દર્શાવે છે કે માતાજીની શક્તિ અને ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ વૈશ્વિક સ્તરે ફેલાયેલો છે.

પોષી પૂનમનું મહત્ત્વ

શાકંભરી નવરાત્રીનો આ ઉત્સવ ૩ જાન્યુઆરીના રોજ પોષી પૂનમે સંપન્ન થશે. પોષી પૂનમ એ અંબાજી માતાનો પ્રગટ્ય દિવસ હોવાથી તે દિવસે મંદિરમાં વિશેષ પૂજા, અન્નકૂટ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. અત્યારે ચાચર ચોક ભક્તોના 'જય અંબે' ના નાદથી ગુંજી રહ્યો છે અને મંદિર પ્રશાસન દ્વારા ભીડને જોતા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.