VIDEO: પાલનપુરમાં ચાંદીપુરા વાયરસથી બે વર્ષની બાળકીનું સારવાર દરમિયાન નીપજ્યું કરુણ મોત
સોર્સ : gstv
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની બનાસ મેડિકલ હોસ્પિટલમાં આબુરોડના સીયાવા ગામની બે વર્ષની બાળકીનું ચાંદીપુરા વાયરસના કારણે સારવાર દરમિયાન મોત થયું છે...કિર્તી ડુંગાસીયા નામની બાળકીને તાવ, ઉલટી, ખેંચ અને બેભાન થવા જેવી ગંભીર સ્થિતિ સર્જાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેણે ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયુ છે..ચાંદીપુરાથી બાળકીના મોતને લઈને બનાસકાંઠાનું આરોગ્ય તંત્ર પણ સંપૂર્ણપણે સતર્ક બની ગયું છે અને જરૂરી આગોતરા પગલાં હાથ ધરવામાં આવ્યા છે.

