VIDEO: આણંદ: એસ.પી. યુનિવર્સિટીમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસે વિવિધ વિકાસ કાર્યો અને આરોગ્ય અભિયાનનો પ્રારંભ
સોર્સ : gstv
વડાપ્રધાન મોદીના જન્મદિવસે આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીમાં અલગ અલગ લોકકલ્યાણકારી કાર્યક્રમો યોજાયા હતા. શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના હસ્તે સાડા ચાર કરોડના ખર્ચે નિર્માણ પામનારા નવા પ્રેસ ભવનનું ખાતમુહૂર્ત અને સ્વદેશી વસ્તુ ભંડારનું ઉદ્ઘઘાટન કરાયું હતું....આ અવસરે સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરી દીવા પ્રગટાવાયા હતા. સાથોસાથ યુનિવર્સિટીની ૭૦૦ વિદ્યાર્થિનીઓ માટે સર્વાઇકલ કેન્સર રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાયો હતો....જ્ઞાન ગંગોત્રી ગ્રંથ શ્રેણી પુસ્તકનું વિમોચન થયું હતું. મંત્રીઓ, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ઈપકૉવાલા હોલમાં ચિત્ર પ્રદર્શન અને રંગોળીનું નિરીક્ષણ કરાયું હતું.

