VIDEO: આણંદ ચર્ચાસ્પદ એન્કાઉન્ટર કેસ: ગૃહમંત્રી હર્ષ સંધવીએ હોસ્પિટલમાં ઘાયલ જવાનોના ખબર-અંતર પૂછ્યા
સોર્સ : gstv
આણંદ જિલ્લાના એન્કાઉન્ટર કેસ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંધવી તેમજ ગુજરાતના DGP જી. એસ. મલિકે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવોએ સારવાર હેઠળ રહેલા ઘાયલ પોલીસ જવાનોના ખબર-અંતર પૂછી તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ જિલ્લા પોલીસ અધિકારી જી. જી. જશાણી પાસેથી સમગ્ર ઘટનાક્રમનો વિગતવાર અહેવાલ મેળવ્યો અને એન્કાઉન્ટર અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન પોલીસ અધિકારીઓ સાથે સુરક્ષા અને તપાસ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

