Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: One and a half lakh prasad offerings prepared for devotees in Rath Yatra

VIDEO:રથયાત્રામાં ભક્તો માટે સવા લાખ પ્રસાદીના ઉપરણા તૈયાર

Timeછેલ્લું અપડેટ : 22 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અષાઢી બીજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે, જેમાં ભક્તોને પ્રસાદ રૂપે આપવા માટે કેસરીયા રંગના ઉપરણા તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દર વર્ષે એક મહિના અગાઉથી 40 હજાર મીટર કાપડમાંથી અંદાજે સવા લાખ જેટલા પવિત્ર ઉપરણા તૈયાર કરાય છે.આ પ્રસાદ પાછળ બે કથાઓ પ્રચલિત છે. એક માન્યતા મુજબ ભગવાન કૃષ્ણની આંગળીમાં ઈજા થતાં દ્રૌપદીએ ચીર ફાડીને પાટો બાંધ્યો હતો. બીજી કથા અનુસાર મોસાળમાં લાડ-લડાવવાને કારણે પ્રભુની આંખો આવતાં ઉપરણાના પાટા બાંધવામાં આવ્યા હતા. રથયાત્રામાં મગ, કાકડી અને દાડમ સાથે આ પવિત્ર ઉપરણાનો પ્રસાદ લાખો શ્રદ્ધાળુઓને વિતરણ કરવામાં આવે છે.

App Store

 

ટોપિક્સ:rathyatra 2026jagannathgstv