Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Amit Chavda VS Anil Patel: War of words between BJP-Congress in Gujarat over Bhavnagar incident

VIDEO: અમિત ચાવડા VS અનિલ પટેલ: ભાવનગરની ઘટના મુદ્દે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ

Timeછેલ્લું અપડેટ : 02 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ભાવનગર જિલ્લાના બગદાણામાં બનેલી તાજેતરની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે. આ ઘટના બાદ ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ટ્વીટ કરીને સરકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા હતા, જેના પર ભાજપના પ્રવક્તા અનિલ પટેલે વળતો પ્રહાર કરી સરકારનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો છે.

App Store

સરકારની કડક કાર્યવાહીનો દાવો
ભાજપના પ્રવક્તા અનિલ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત સરકાર કડક હાથે કામગીરી કરી રહી છે. તેમણે ઉમેર્યું કે, "સરકારની નીતિ સ્પષ્ટ છે – 'નો પોલિટિકલ પ્રોટેક્શન, ઓન્લી પ્રોસિક્યુશન'. એટલે કે કોઈપણ ગુનેગારને રાજકીય રક્ષણ આપવામાં આવશે નહીં, માત્ર કાયદેસરની કડક કાર્યવાહી જ કરવામાં આવશે."

સેલિબ્રિટી હોય કે સામાન્ય માણસ, કાયદો સમાન
અનિલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ સરકારમાં કાયદો સર્વોપરી છે. પછી ભલે તે કોઈ સેલિબ્રિટી હોય કે સામાન્ય નાગરિક, જો કોઈએ ગુનો કર્યો હશે તો તેને બક્ષવામાં આવશે નહીં. બગદાણાની ઘટના અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે, આ એક વ્યક્તિગત ઝઘડાની ઘટના છે જેમાં બંને પક્ષે સામસામે FIR દાખલ કરવામાં આવી છે. પોલીસ નિષ્પક્ષ તપાસ કરી રહી છે અને જે કોઈ પણ દોષિત જણાશે તેને અંતિમ સજા સુધી પહોંચાડવામાં આવશે.

કોંગ્રેસ પર પ્રહારો
ભાજપે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ પાસે હવે કોઈ નક્કર મુદ્દાઓ રહ્યા નથી, તેથી તેમની રાજનીતિ માત્ર પાયાવિહોણા આક્ષેપો પર નભેલી છે. ભાજપના મતે, કોંગ્રેસ આવી ઘટનાઓનું રાજકીયકરણ કરીને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે.