VIDEO: અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ RTEના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખનારને આપી ચેતવણી
સોર્સ : gstv
અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ RTEના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખનાર શાળા સંચાલકોને ચેતવણી આપી. સાથે જ એમણે કહ્યું કે, વાલીઓ પાસે અધર એક્ટિવિટીની ફી લેવા દબાણ કરવું નહીં. RTE માં અમદાવાદ શહેરમાં પ્રથમ રાઉન્ડ બાદ 1 હજાર 279 બેઠકો ખાલી છે. 14 હજાર 221 બેઠકો સામે 38 હજાર 333 ફોર્મ ભરાયા હતા, જેમાં પ્રથમ રાઉન્ડ બાદ 13 હજાર 652 વિદ્યાર્થીઓનો પ્રવેશ કન્ફર્મ થયો છે. ડીઈઓએ એમ પણ કહ્યું કે, શાળાના સંચાલકોની દાદાગીરી સામે વાલીઓ RTEની હેલ્પલાઇન પર ફરિયાદ કરી શકે છે.

