Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : vehicle accidents increases during Navratri, average of 405 people injured everyday

નવરાત્રિમાં વાહન અકસ્માતનો વધ્યો આંકડો, ગુજરાતમાં દરરોજ સરેરાશ 405 વ્યક્તિ ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2025
લાઇવ ટીવીGoogle News
નવરાત્રિમાં વાહન અકસ્માતનો વધ્યો આંકડો, ગુજરાતમાં દરરોજ સરેરાશ 405 વ્યક્તિ ઈજાગ્રસ્ત
સોર્સ : gstv

Road Accidents During Navratri 2025: નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં વાહન અકસ્માતથી દરરોજ સરેરાશ 405 વ્યક્તિ ઈજાગ્રસ્ત થતી હોવાનું સામે આવ્યું છે. સામાન્ય દિવસોની સરખામણીએ નવરાત્રિમાં વાહન અકસ્માતમાં 10 ટકાનો વધારો થયો છે. 

App Store

1230 લોકોને હૃદયની, 1700થી વધુને શ્વાસની સમસ્યા થઈ

ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, નવરાત્રિના પ્રથમ ચાર નોરતામાં અમદાવાદમાં કુલ 381 વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા. હાલની સ્થિતિએ અમદાવાદમાં દરરોજ સરેરાશ 70થી વધુ વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા બાદ ઈમરજન્સી સેવાની મદદ લેવી પડે છે.

 
નવરાત્રીના પ્રથમ ચાર નોરતામાં કઈ ઈમરજન્સીના કેટલા કેસ ? 
 
ઈમરજન્સી
અમદાવાદ
ગુજરાત
પેટમાં દુખાવો 
817
2718
વાહન અકસ્માત
381
2027
શ્વાસમાં સમસ્યા
383
1732
હૃદય
358
1230
ફીટ આવવી 
117
સખત તાવ 
231
1508
 
નવરાત્રિ દરમિયાન હૃદયની ઈમરજન્સીના ગુજરાતમાંથી 1230 જેટલા જ્યારે અમદાવાદમાં 358 કેસ નોંધાયા છે. હૃદય કરતાં શ્વાસ સંબધિત સમસ્યાને કારણે વધુ લોકોને ઈમજન્સીની જરૂર પડી છે. શ્વાસ સંબધિત ઈમરજન્સીના કુલ 1732 કેસ સામે આવ્યા છે.

 

ટોપિક્સ:Accidentnavratri 2025