VIDEO: ધોળકામાં આવેલું પૌરાણિક નાગનાથ મહાદેવ મંદિર, જ્યાં શિવલિંગ પર બને છે પરપોટા
સોર્સ : gstv
અમદાવાદ જિલ્લાના ઐતિહાસિક નગર ધોળકા ખાતે મહાભારતકાળ સાથે જોડાયેલું અનોખું શિવધામ નાગનાથ મહાદેવ આવેલું છે, જે ‘પરપોટીયા મહાદેવ’ તરીકે ઓળખાય છે. આ પ્રાચીન સ્વયંભૂ શિવલિંગ પર સ્ફટિક જેવા પાણીના પરપોટાના કુદરતી આકારો બનેલા છે, જેની ગણતરી કરવી અશક્ય માનવામાં આવે છે. પૂનમ અને અમાસની તિથિ પ્રમાણે રંગ અને કળા બદલતા આ શિવલિંગનો જીર્ણોદ્ધાર વડોદરાના ગાયકવાડ રાજવીઓએ કરાવ્યો હતો. સ્વામિનારાયણ ભગવાને પણ અહીં પૂજા-અર્ચના કરી હતી. વર્ષોથી અખંડ જ્યોત ધરાવતા આ ધામમાં શ્રાવણ માસ દરમિયાન દેશ-વિદેશથી હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે.

