Ahmedabadના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક: ડેકોરેટર્સની દુકાનમાં કરી તોડફોડ, સમગ્ર ઘટના CCTVમાં કેદ
સોર્સ : GSTV
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોની ગુંડાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. તનમન ચોકડી પાસે આવેલી માધવ સ્કૂલ નજીક અર્બુદા ડેકોરેટર્સમાં એક શખ્સે તોડફોડ કરી ભારે આતંક મચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
સ્થાનિકોના આક્ષેપ અનુસાર, સંકેત ચૌધરી નામના શખ્સે છેલ્લા 10 વર્ષમાં ત્રીજી વખત આ પ્રકારે ગુંડાગીરી આચરી છે. અસામાજિક તત્વોના સતત વધતા ત્રાસથી સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ ભોગ બનનાર વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

