VIDEO: Ahmedabad / મનપા કમિશનરની કડક કાર્યવાહી; બેદરકારી અને અયોગ્ય વર્તન બદલ 13 અધિકારી-કર્મચારીઓને 'શો-કોઝ' નોટિસ
સોર્સ : GSTV
મનપાના 13 જેટલા અધિકારી અને કર્મચારીઓને કમિશનર દ્વારા શો કોઝ નોટીસ અપાઈ છે. નાગરિકોની સાથે અયોગ્ય વર્તન, કામગીરીમાં બેદરકારી અને ગેરહાજરી સહિતના મુદ્દે આ નોટીસ અપાઈ છે. લાઈટ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને ઈજનેર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને નોટીસ પાઠવી જવાબ મંગાયો છે. આ અધિકારીઓમાં ઉત્તર ઝોનના એડિશનલ સીટી ઈજનેર ગોપાલ પટેલ, ઉત્તર ઝોનના આસિસસ્ટન્ટ ઈજનેર દિલીપ પ્રજાપતિ, ડેપ્યુટી સીટી ઈજનેર કિરીટભાઈ, સંજય જેઠવા, હિતેન્દ્રસિંહ સોલંકી પ્રવીણ સાવલિયા, નવીનભાઈ વાઘેલા સામેલ છે. આ સિવાય જન્મ મરણ વિભાગ સહિતના કર્મચારી-અધિકારીઓને કમિશનર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.

