VIDEO: સંતો અને સનાતન સંસ્કૃતિના અપમાન મુદ્દે સંત સમાજ મેદાને, સાંસદો સામે કાર્યવાહીની માંગ
સોર્સ : gstv
અયોધ્યા મંદિર અને સનાતન સંસ્કૃતિના મુદ્દે સાધુ-સંતોએ વિરોધ નોંધાવી કેટલાક સાંસદો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સાધુ-સંતોએ આરોપ લગાવ્યો કે પપ્પુ યાદવ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના કેટલાક નેતાઓએ ભગવાન રામ અને સનાતન સંસ્કૃતિનું અપમાન કર્યું છે. આ મુદ્દે આજે વિવિધ જિલ્લાઓમાં કલેક્ટરોને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. અને સંબંધિત સાંસદોનું સભ્યપદ રદ કરવાની માંગ કરવામાં આવી છે.
સાધુ-સંતોએ જણાવ્યું કે અયોધ્યા મંદિરની ચોરીની ઘટનાને રાજકીય રંગ આપવો યોગ્ય નથી અને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે માંગણીઓ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં રાજ્યપાલને આવેદન અને પૂતળા દહન સહિતના વિરોધ કાર્યક્રમો યોજવામાં આવશે.

