VIDEO: Ahmedabadમાં આચાર સંહિતાને પગલે પોસ્ટર અને હોર્ડિંગ્સ દૂર કરાયા, પૂર્વ ઝોનમાં સૌથી વધુ બેનરો હટાવાયા
સોર્સ : GSTV
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાં આચાર સંહિતા લાગી ચૂકી છે. જેથી અમદાવાદમાંથી પોસ્ટર અને હોર્ડિંગ્સ દૂર કરાયા હતા. 3 એપ્રિલ સુધીમાં કુલ 209 બેનર, 360 હોર્ડિંગ્સ અને 269 પોસ્ટરો દૂર કરવામાં આવ્યા છે. સાથે સાથે 379 સ્ક્વેર મીટર જેટલા ફ્લેક્સ અને કુલ 822.5 સ્ક્વેર મીટર જેટલી પ્રચાર સામગ્રી દૂર કરાઈ છે. પૂર્વ ઝોનમાં સૌથી વધુ કાર્યવાહી થઈ છે, જ્યાં 74 બેનર અને 66 હોર્ડિંગ્સ દૂર કરાયા છે. આ સિવાય પશ્ચિમ, દક્ષિણ ઝોન અને મઘ્ય ઝોનમાં કાર્યવાહી કરાઈ. જ્યારે ઉત્તર અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પણ કાર્યવાહી યથાવત જોવા મળી છે.

