રમઝાનને લઈ AMCનો નિર્ણય: કાર્પોરેશનમાં કામ કરતા મુસ્લિમ કર્મચારીઓ એક કલાક વહેલા છૂટી શકશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા મુસ્લિમ કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રમઝાન માસને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પરિપત્ર જાહેર કર્યો છે જેમાં રમઝાન મહિનાને લઈ મુસ્લિમ કર્મચારીઓ માટે એક સારો નિર્ણય લેવામાં આવ્યો છે. રમઝાન માસમાં નમાજને લઈ કર્મચારીઓ એક કલાક વહેલા છુટી શકશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા મુસ્લિમ કર્મચારીઓ રમઝાન માસ દરમિયાન એક કલાક પહેલા ડ્યુટી પૂર્ણ કરી શકશે. જો કે, કર્મચારીઓએ વહેલા આવવાનું રહેશે. રમઝાન હોવાથી કર્મચારીઓને સાંજે ૫.૧૦ વાગે છોડવામાં આવશે પરંતુ કર્મચારીઓએ સવારે ૯.૧૦ વાગે ઓફિસ આવવું પડશે. ઓફિસનો રેગ્યુલર સમય સવારે ૧૦.૩૦થી ૬.૧૦ વાગ્યાનો હોય છે પરંતુ રમઝાન માસને લઈ પાલિકાએ આ પરિપત્ર બહાર પાડ્યો છે અને માત્ર મુસ્લિમ બિરાદારોને જ આ નિયમ લાગુ પડશે.

