VIDEO: Ahmedabad / મનપા આગામી 2 વર્ષમાં 31 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ કરશે
સોર્સ : GSTV
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગામી બે વર્ષમાં 31 હજાર કરતાં વધુ આવાસોનું લોકાર્પણ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ અંતર્ગત ઈડબ્લ્યુએસ અને એલઆઈજી સહિતના મકાનો તબક્કાવાર રીતે લાભાર્થીઓને આપવામાં આવશે. કુલ 31,755 આવાસોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા આ પ્રોજેક્ટથી આવાસની સમસ્યામાં રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

