VIDEO: વસ્ત્રાપુરમાં AUDAના સસ્તા મકાનના નામે લાખોની ઠગાઈ
અમદાવાદના વસ્ત્રાપુરમાં AUDAના સસ્તા મકાનો અપાવવાની લાલચ આપી અગિયાર લોકો સાથે રૂપિયા ચોવીસ લાખ પચાસ હજારની ઠગાઈ આચરવામાં આવી છે. મોટેરાની નિયતિ જૈન દ્વારા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, રાજેશ રાઠોડ નામના શખ્સે પોતે AUDAનો ડિરેક્ટર અને IBનો નિવૃત્ત અધિકારી હોવાની ખોટી ઓળખ આપી હતી. આરોપીએ સોશિયલ મીડિયા પ્રમોશનના માધ્યમથી સંપર્ક સાધીને વિશ્વાસ કેળવવા માટે AUDAના બોગસ દસ્તાવેજો અને સ્વિસ બેંકનું રૂપિયા ત્રણ હજાર ચારસો કરોડનું નકલી બેંક સ્ટેટમેન્ટ બતાવ્યું હતું. સસ્તા મકાનોની લાલચમાં ફસાયેલા નિર્દોષ નાગરિકો પાસેથી નાણાં પડાવ્યા બાદ, જ્યારે રકમ પરત આપવા માટે આપેલો રૂપિયા છ લાખ ત્રીસ હજારનો ચેક બાઉન્સ થયો ત્યારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ ગંભીર બનાવ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

