VIDEO: અમદાવાદના ઇન્દ્રપુરી વોર્ડમાં ચૂંટણી પૂર્વે જ સ્થાનિકોનો રોષ, 'નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ'ના લાગ્યા બેનર
સોર્સ : GSTV
અમદાવાદના ઇન્દ્રપુરી વોર્ડમાં ચૂંટણી પૂર્વે જ સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો છે. વિસ્તારની આનંદ કોલોની, સુરજ બંગલોઝ અને રાધે ડુપ્લેક્સના રહીશોએ સોસાયટીના ગેટ પર વિરોધ પ્રદર્શન કરતા બેનરો લગાવી દીધા છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી રોડ-રસ્તા અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ અને વિકાસકાર્યો પ્રત્યે તંત્ર દ્વારા ભારે દુર્લક્ષ સેવવામાં આવ્યું છે. વારંવારની રજૂઆતો છતાં સમસ્યાઓનું નિરાકરણ ન આવતા હવે રહીશોએ આરપારની લડાઈના મૂડમાં "સુવિધા નહીં તો મત નહીં" જેવો કડક સંદેશ આપ્યો છે.

