VIDEO: જંકફૂડ અંગે હાઈકોર્ટના આદેશ બાદ આરોગ્ય મંત્રીની વાલીઓને અપીલ
સોર્સ : gstv
જંકફૂડ અંગે હાઈકોર્ટના મહત્વપૂર્ણ આદેશ બાદ આરોગ્ય મંત્રીએ નિવેદન આપતાં જણાવ્યું છે કે બાળકોના ખાનપાન પર વાલીઓએ પણ વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે માત્ર ગરીબ પરિવારના જ નહીં, પરંતુ સમૃદ્ધ પરિવારના બાળકો પણ ખોટી આહારશૈલીના કારણે કુપોષણથી પીડાઈ રહ્યા છે. તેથી બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે વાલીઓમાં પણ જાગૃતિ આવવી એટલી જ અનિવાર્ય છે.

