VIDEO: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરમાં દર્શન કર્યાં
સોર્સ : gstv
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે, જ્યાં તેઓ ત્રણ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને વિધિવત દર્શન અને પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. દર્શન સંપન્ન કર્યા બાદ તેઓ કાંકરિયા ખાતેના આગામી કાર્યક્રમ માટે રવાના થયા હતા. ગૃહમંત્રીના આ મહત્ત્વના પ્રવાસને ધ્યાનમાં રાખીને જગન્નાથ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

