VIDEO: Ahmedabad / ગૌરવ પંડ્યાની પોસ્ટથી રાજકીય ગરમાવો; અમિત ચાવડાએ કહ્યું, નિષ્ઠાવાન કાર્યકરોની વાત સાંભળી યોગ્ય પ્રાધાન્ય અપાશે
સોર્સ : GSTV
કોંગ્રેસ નેતા ગૌરવ પંડ્યાની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, જેના પર પ્રદેશ નેતા અમિત ચાવડાએ મહત્વની પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જિલ્લા, શહેર અને તાલુકા સ્તરે પક્ષે વિવિધ લોકોને અલગ-અલગ જવાબદારીઓ સોંપી છે અને દરેકનો રોલ નિશ્ચિત છે. જે નિષ્ઠાવાન કાર્યકર્તાઓએ સરકારની 'સામ, દામ, દંડ, ભેદ'ની નીતિ સામે મક્કમતાથી લડત આપી છે, તેમની વાત સાંભળીને આગામી દિવસોમાં પક્ષમાં યોગ્ય પ્રાધાન્ય આપવામાં આવશે. સંગઠનમાં જે પણ કચાસ રહી ગઈ હશે તેને સુધારીને પક્ષને મજબૂત કરવા માટે કામ કરવામાં આવશે.

