VIDEO: Ahmedabad રથયાત્રા; હાથીઓ સાથે પગપાળા ચાલ્યા મહંત દિલીપદાસજી મહારાજ
સોર્સ : gstv
અમદાવાદની રથયાત્રામાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ હાથીઓની સાથે ચાલતા જોવા મળ્યા છે. ગયા વર્ષે રથયાત્રા દરમિયાન હાથી બેકાબૂ થવાની બનેલી ઘટનાને પગલે આ વખતે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ખુદ મહંત હાથીની સાથે ચાલી રહ્યા છે અને સુરક્ષાના વધારાના પગલાં તરીકે આ વર્ષે હાથીના પગમાં લોખંડની સાંકળો પણ બાંધવામાં આવી છે.

