VIDEO: અમદાવાદના શાહપુરમાં લલ્લુભાઈની પોળમાં ૪ મકાનો ધારાશાહી!
સોર્સ : gstv
અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી લલ્લુભાઈની પોળ, મંગળ પારેખના ખાંચામાં વરસાદ બાદ ચાર જર્જરિત મકાનો ધારાશાહી થવાની ઘટના સામે આવી છે. મકાનોનો મોટાભાગનો હિસ્સો નમી જતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક તંત્ર AMC દ્વારા આ તમામ જોખમી મકાનોને અગાઉથી જ ખાલી કરાવી દેવામાં આવ્યા હોવાથી મોટી જાનહાનિ ટળી છે. ઘટના બાદ AMCની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને મકાનોનો જર્જરિત અને જોખમી ભાગ ઉતારી લેવાની કામગીરી હાથ ધરી છે.

