Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Will Ranveer Singh and Aditya Dhar collaborate in a mythological drama

'Dhurandhar' ની સફળતા પછી માયથોલોજીકલ ડ્રામા માટે સાથે આવશે રણવીર સિંહ અને આદિત્ય ધર? શરૂ થઈ ગઈ તૈયારી

Timeછેલ્લું અપડેટ : 12 Feb 2026
લાઇવ ટીવીGoogle News
'Dhurandhar' ની સફળતા પછી માયથોલોજીકલ ડ્રામા માટે સાથે આવશે રણવીર સિંહ અને આદિત્ય ધર? શરૂ થઈ ગઈ તૈયારી
સોર્સ : GSTV

આદિત્ય ધર અને રણવીર સિંહે 'ધૂરંધર' માં સાથે કામ કર્યું અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ જોડી 19 માર્ચે ફિલ્મનો બીજો ભાગ રિલીઝ કરી રહી છે, જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે એવું લાગે છે કે આ સહયોગ લાંબા સમયથી જોવા મળશે.

App Store

શું વિકી કૌશલ સાથેનો પ્રોજેક્ટ મુલતવી રાખવામાં આવ્યો છે?

અહેવાલો સૂચવે છે કે આદિત્ય ધર એક માયથોલોજીકલ ડ્રામા ફિલ્મ પર કામ કરી રહ્યો છે જેમાં તે રણવીર સિંહને કાસ્ટ કરવાનો છે. અહેવાલો અનુસાર, આદિત્ય ધરે જિયો સ્ટુડિયો સાથેની પોતાની ફર્સ્ટ-લુક ડીલ રિન્યૂ કરી છે.

લેટેસ્ટ માહિતી અનુસાર આદિત્ય ધર પહેલા 'અશ્વત્થામા' માં વિકી કૌશલ સાથે કામ કરવાનો હતો, પરંતુ આ યોજના હાલમાં સફળ નથી થતી દેખાતી. નોંધનીય છે કે B62 સ્ટુડિયો અને જિયો સ્ટુડિયોએ અત્યાર સુધીમાં સાથે પાંચ પ્રોજેક્ટ કરી ચૂક્યા છે, જેમાં 'આર્ટિકલ 370', 'ધૂમ ધામ', 'બારામુલા' અને ધુરંધરના બે ભાગનો સમાવેશ થાય છે.

જિયો સ્ટુડિયો સાથે થઈ ડીલ

એક અહેવાલ અનુસાર 'ધુરંધર' ફિલ્મના ડાયરેક્ટર આદિત્ય ધરે જિયો સ્ટુડિયો સાથેના તેની એક્સક્લુઝિવ ફર્સ્ટ-લુક ડીલને બે વર્ષ માટે લંબાવી છે. આ નવી ડીલ હેઠળ આદિત્ય ધર અને તેના બેનર B62 સ્ટુડિયો જેની સ્થાપના તેણે લોકેશ ધર સાથે મળીને કરી હતી, તેના માટે ઘણી ફિલ્મોનું નિર્માણ અને વિકાસ કરશે, જેમાં તેના આગામી દિગ્દર્શિત ફિલ્મનો પણ સમાવેશ થાય છે.

હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, તેથી દર્શકોએ લાંબો સમય રાહ જોવી પડી શકે છે. હાલ માટે, ફેન્સ 'ધુરંધર' ફિલ્મના ભાગ 2 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 'ધુરંધર 2' યશની ફિલ્મ 'ટોક્સિક' સાથે કલેશ થશે.