Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Shaktiman fame Mukesh Khanna lashed out at Shahrukh Khan and Ajay Devgn

VIDEO: શાહરૂખ ખાન અને અજય દેવગન પર ભડક્યો શક્તિમાન ફેમ મુકેશ ખન્ના, કહ્યું-' તેઓ લોકોને ખોટું જીવન...'

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ પાન મસાલા બ્રાન્ડ 'વિમલ ઇલાયચી' ની જાહેરાત કરવા બદલ બોલિવૂડના ત્રણ મોટા સુપરસ્ટાર્સ શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને 'કારણ દર્શક નોટિસ' ફટકારી છે. આ નોટિસમાં સ્ટાર્સ પાસે જવાબ માંગવામાં આવ્યો છે. આ મુદ્દે હવે દિગ્ગજ અભિનેતા અને 'શક્તિમાન' ફેમ મુકેશ ખન્નાએ ત્રણેય સ્ટાર્સની આકરી ટીકા કરી છે અને તેમને જાહેરમાં માફી માંગવા કહ્યું છે.

App Store

શું બોલ્યા મુકેશ ખન્ના?

સરકારની કાર્યવાહી પર ખુશી: મુકેશ ખન્નાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કરતા કહ્યું, "જે ત્રણ મોટા કલાકારો માર્કેટમાં 'કેસરિયા આદાબ' કરતા ફરતા હતા, તેમને સરકાર અને FDA તરફથી નોટિસ મોકલવામાં આવી છે. મને ખુશી છે કે સરકાર ક્યારેક ક્યારેક મારી વાતોને ધ્યાનમાં લે છે, ભલે મોડું જ કેમ ન હોય."

કલાકારો પર ગેરમાર્ગે દોરવાનો આરોપ: તેઓએ જણાવ્યું કે, "જે મોટા કલાકારો પોતાને મહાન માને છે, તેઓ લોકોને ખોટું જીવન જીવવાનો માર્ગ બતાવી રહ્યા છે. મેં અગાઉ પણ ઘણી વખત કહ્યું છે કે તમારી પાસે કરવા માટે બીજું ઘણું બધું છે, તો પછી તમે આ શું કરી રહ્યા છો?"

ઇલાયચીના બહાને ગુટખાનું પ્રમોશન: મુકેશ ખન્નાએ સ્પષ્ટ કર્યું કે ભલે આ સ્ટાર્સ તેને ઇલાયચીની જાહેરાત કહેતા હોય, પરંતુ આડકતરી રીતે તેઓ એવી જ બ્રાન્ડને પ્રમોટ કરી રહ્યા છે જેનો ગુટખો મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત છે. તેમને આશ્ચર્ય છે કે સરકારે આ લોકો સામે પગલાં લેવામાં આટલો સમય કેમ લગાડ્યો.

જાહેરમાં માફીની માંગ: મુકેશ ખન્નાએ સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે, "આ એક્ટર્સે આગળ આવીને જાહેરમાં માફી માંગવી જોઈએ અને સ્વીકારવું જોઈએ કે તેમણે ખોટી જાહેરાત કરી છે. તેઓએ ખોટો મેસેજ આપ્યો છે, તેથી હવે તેમની ફરજ બને છે કે સાચો મેસેજ આપે કે આ ખાવાની વસ્તુ નથી."

કેસરિયા આદાબ પર કટાક્ષ: વીડિયોના કેપ્શનમાં કટાક્ષ કરતા મુકેશ ખન્નાએ લખ્યું છે કે, "કેસરિયા આદાબ માટે નથી હોતો, તે શૌર્ય, સાહસ અને પરાક્રમ માટે હોય છે. કોઈ જનતાનો મનપસંદ કલાકાર ઈશારાથી ગુટખા ખાવાનું કહે તે જોઈને શરમ આવે છે."

FDAની આ નોટિસ અને મુકેશ ખન્નાના આકરા પ્રહાર બાદ હવે જોવાનું એ રહે છે કે શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફ આ મુદ્દે શું જવાબ આપે છે.