Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Bollywood news: Bollywood actress Disha Patani's father gets a weapons license after shooting at home

Bollywood news: ઘર પર ગોળીબાર બાદ બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીના પિતાને હથિયારનું લાયસન્સ મળ્યું

Timeછેલ્લું અપડેટ : 16 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Bollywood news: ઘર પર ગોળીબાર બાદ બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીના પિતાને હથિયારનું લાયસન્સ મળ્યું
સોર્સ : GSTV

Bollywood news: ઉત્તર પ્રદેશના બરેલીમાં રહેતી બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીના પિતા જગદીશ પટણીને જિલ્લા વહીવટીતંત્રે હથિયારોનું લાઇસન્સ જારી કર્યું છે. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વરિષ્ઠ અધિકારીઓએ રવિવારે (16 નવેમ્બર) આ અંગેની પુષ્ટિ કરી હતી. નોંધનીય છે કે, જગદીશ પટણી નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક (DSP) તરીકે રહી ચૂકેલા છે. 

App Store

તેમણે તેમના પૈતૃક ઘર પર ગુનાહિત ટોળકીએ ગોળીબાર કર્યા બાદ તેમણે લાઇસન્સ માટે અરજી કરી હતી. હુમલા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ તેમના માટે સુરક્ષાનો આદેશ આપ્યો હતો.

દિશા પટણીના પિતાને રિવોલ્વર અને પિસ્તોલનું લાઈસન્સ મળ્યું
બરેલીના જિલ્લા મેજિસ્ટ્રેટ અવનીશ સિંહે જણાવ્યું હતું કે, હુમલા પછી પટણીએ તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરી હતી અને તેમને રિવોલ્વર/પિસ્તોલનું લાઈસન્સ આપવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, લાઇ   સન્સ દ્વારા પટણીની સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવી છે. આ ઘટના 12 સપ્ટેમ્બર, 2025 ના રોજ બની હતી, જ્યારે મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા હુમલાખોરોએ પટણીના ઘરની બહાર આશરે 10 ગોળીબાર કર્યો હતો. આ કેસ મામલે બરેલી કોતવાલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. તપાસ દરમિયાન, 17 સપ્ટેમ્બરના રોજ ગાઝિયાબાદમાં ઉત્તર પ્રદેશ પોલીસ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF), હરિયાણા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને દિલ્હી પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં બે શંકાસ્પદ રવિન્દ્ર અને અરુણ માર્યા ગયા હતા.

પટણીના નિવાસસ્થાને સુરક્ષા ચાલુ રહેશે: અનુરાગ આર્ય
બરેલીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક અનુરાગ આર્યએ પુષ્ટિ આપી હતી કે જગદીશ પટણીના નિવાસસ્થાને સુરક્ષા ચાલુ રહેશે. તેમણે જણાવ્યું હતું કે, 'લાઇસન્સ મળ્યા પછી પણ પોલીસ સુરક્ષા ચાલુ રહેશે અને પટણી પરિવારની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે. શસ્ત્ર લાઇસન્સ મળ્યા પછી જગદીશ પટણીનો આત્મવિશ્વાસ વધ્યો છે. હવે, તે કોઈપણ કટોકટીમાં પોતાને અને તેના પરિવારને સુરક્ષિત રાખવા માટે યોગ્ય પગલાં લઈ શકે છે. વહીવટીતંત્રે એ પણ સ્પષ્ટ કર્યું કે, તેની સલામતી ઉપરાંત, તેણે કાયદાના દાયરામાં લાઇસન્સનો ઉપયોગ કરવો જોઈએ.