Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : 1 crore to Kartik Arya for Assam flood victims, thanks CM Himanta Biswa

VIDEO: આસામ પૂરપીડિતો માટે કાર્તિક આર્યને આપ્યા 1 કરોડ, CM હિમંતા બિસ્વાએ માન્યો આભાર

Timeછેલ્લું અપડેટ : 31 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આસામ હાલમાં ભારે પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. લાખો લોકો ઘરવિહોણા થઈ ગયા છે, અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને પરિસ્થિતિ દિન-પ્રતિદિન વધુ વણસી રહી છે. આવા મુશ્કેલ સમયમાં અનેક બોલિવૂડ કલાકારો આસામના પૂરપીડિતોની મદદ માટે આગળ આવી રહ્યા છે. સલમાન ખાન બાદ હવે અભિનેતા કાર્તિક આર્યને પણ આસામના પૂરપીડિતોની સહાય માટે એક મોટું પગલું ભર્યું છે. તેમણે આસામ મુખ્યમંત્રી રાહત ફંડમાં ₹1 કરોડનું દાન આપ્યું છે.

App Store

કાર્તિક આર્યને ₹1 કરોડનું દાન આપ્યું

આસામમાં આ સમયે હજારો લોકો પૂરના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. તેમની મદદ માટે ચારેય તરફથી લોકો આગળ આવી રહ્યા છે. ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સિતારાઓએ પણ મદદનો હાથ લંબાવ્યો છે. સલમાન ખાન બાદ હવે કાર્તિક આર્યને પૂરપીડિતો માટે મદદની પહેલ કરી છે. અભિનેતાએ આશરે ₹1 કરોડનું દાન આપ્યું છે. તેમના આ સરાહનીય પગલાંની આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ પ્રશંસા કરી છે અને આભાર વ્યક્ત કર્યો છે.

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ વ્યક્ત કર્યો આભાર

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પોતાના ઓફિશિયલ એક્સ (ટ્વિટર) એકાઉન્ટ પર કાર્તિક આર્યનનો આભાર માન્યો છે. તેમણે લખ્યું કે કાર્તિકનો આ ઉદાર સહયોગ હૃદયસ્પર્શી છે અને તેનાથી આસામના પૂર પ્રભાવિત લોકોની મદદ કરવામાં મોટી રાહત મળશે.

સલમાન ખાને પણ શરૂ કર્યું રાહત અભિયાન

તમને જણાવી દઈએ કે સલમાન ખાને આસામના પૂરપીડિતો માટે રાહત અભિયાન શરૂ કર્યું હતું. તેમણે પોતાની એનજીઓ ‘બીઇંગ હ્યુમન’ (Being Human) દ્વારા રાજ્યના એક ફેન ક્લબ સાથે મળીને રાહત કાર્ય શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ સૌથી પહેલા જરૂરિયાતમંદ લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે અને આગળ જતાં અન્ય જરૂરી વસ્તુઓ પણ પૂરી પાડવામાં આવશે.

તેમજ, અભિનેત્રી આલિયા ભટ્ટ અને ભૂમિ પેડનેકર પણ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને પૂરપીડિતોની મદદ કરવાની અપીલ કરી રહી છે અને રાહત કાર્યો અંગેની માહિતી શેર કરી રહી છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News