VIDEO: આસામમાં વરસાદ પૂર સંબંધિત ઘટનામાં કુલ 78ના મોત
સોર્સ : gstv
આસામમાં પૂરની સ્થિતિમાં આંશિક સુધારો જોવા મળ્યો છે, તેમ છતાં રાજ્યના અનેક વિસ્તારોમાં સ્થિતિ ગંભીર છે. ૨૪ કલાકમાં ત્રણ વધુ લોકોના મોત બાદ પૂર સંબંધિત મૃત્યુઆંક ૭૮ પર પહોંચ્યો છે...રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અનુસાર, સાત જિલ્લાઓમાં ૫૫૦થી વધુ ગામો હજુ પાણીમાં ડૂબેલા છે અને 3 લોકો પ્રભાવિત થયા છે. ચરાઈદેવ જિલ્લામાં સૌથી વધુ 1 લાખ 37 હજાર શિવસાગરમાં ૮૪ હજાર ૬૦૦ અને જોરહાટમાં ૪૯ હજાર ૯૧૧ લોકો અસરગ્રસ્ત છે. હજારો લોકો રાહત શિબિરોમાં આશ્રય લઈ રહ્યા છે.હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે..

