Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : How important is SSB interview to become an officer in Indian Army

Career / ઈન્ડિયન આર્મીમાં ઓફિસર બનવા માટે કેટલું જરૂરી છે SSB ઇન્ટરવ્યુ? જાણો શું છે તેની પ્રોસેસ

Timeછેલ્લું અપડેટ : 03 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Career / ઈન્ડિયન આર્મીમાં ઓફિસર બનવા માટે કેટલું જરૂરી છે SSB ઇન્ટરવ્યુ? જાણો શું છે તેની પ્રોસેસ
સોર્સ : GSTV

લાખો યુવાનો ઈન્ડિયન આર્મીમાં ઓફિસર બનવાનું સ્વપ્ન જુએ છે, પરંતુ આ સ્વપ્નને પૂર્ણ કરવા માટે ફક્ત લેખિત પરીક્ષા પાસ કરવી પૂરતી નથી. વાસ્તવિક કસોટી સર્વિસ સિલેક્શન બોર્ડ (SSB) ઇન્ટરવ્યુ છે, જે દેશની સૌથી મુશ્કેલ પસંદગી પ્રક્રિયાઓમાંની એક માનવામાં આવે છે. આ ઇન્ટરવ્યુ ઉમેદવારના વ્યક્તિત્વ, નેતૃત્વ ક્ષમતાઓ, માનસિક સંતુલન અને નિર્ણય લેવાની કુશળતાની કસોટી કરે છે. NDA અને CDS જેવી પરીક્ષાઓ પછી SSB ઇન્ટરવ્યુ પાસ કરવું ફરજિયાત છે. જે ઉમેદવારો તેમાં પાસ થાય છે તેમને IMA, INA, OTA અથવા એરફોર્સ એકેડેમીમાં ટ્રેનિંગ લેવાની તક મળે છે.

App Store

ઈન્ડિયન આર્મીમાં SSB ઇન્ટરવ્યુ શા માટે જરૂરી છે?

ઈન્ડિયન આર્મીમાં ઓફિસરના પદો પર ભરતી માટે SSB ઇન્ટરવ્યુ સૌથી મહત્ત્વપૂર્ણ તબક્કો છે. તેને પાસ કર્યા વિના, કોઈપણ ઉમેદવાર આર્મી ઓફિસર નથી બની શકતો. આ ઇન્ટરવ્યુ પાંચ દિવસ ચાલે છે, જેમાં ઉમેદવારના વિચાર, વર્તન, ટીમવર્ક અને નેતૃત્વ ગુણોનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવામાં આવે છે. આ જ કારણ છે કે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારોને બહાર કરવામાં આવે છે.

SSB ઇન્ટરવ્યૂ કેવી રીતે શરૂ થાય છે?

SSB માટે આવતા ઉમેદવારોને બોર્ડના અધિકારીઓ સ્ટેશન પર રિસીવ કરે છે અને પસંદગી કેન્દ્ર પર લઈ જાય છે. ત્યાં, તેમને શરૂઆતના સંબોધન અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા આગામી પાંચ દિવસ વિશે જાણ કરવામાં આવે છે. આર્મી SSB માટે રિપોર્ટિંગ દિવસને પ્રથમ દિવસ માનવામાં નથી આવતો, જ્યારે એરફોર્સ SSB માટે તે જ દિવસે પરીક્ષણ શરૂ થાય છે.

દિવસ 1: સ્ક્રીનીંગ ટેસ્ટ

પહેલા દિવસે ઓફિસર્સ ઇન્ટેલિજન્સ રેટિંગ (OIR) ટેસ્ટ અને પિક્ચર પર્સેપ્શન અને ડિસ્કશન ટેસ્ટ લેવામાં આવે છે. OIRમાં બે પેપર હોય છે, દરેકમાં 40 પ્રશ્નો હોય છે. PPDTમાં ઉમેદવારોને એક ચિત્ર બતાવવામાં આવે છે અને તેના પર આધારિત વાર્તા લખવા અને ગ્રુપમાં તેની ચર્ચા કરવાનું કહેવામાં આવે છે.

દિવસ 2: મનોવૈજ્ઞાનિક કસોટી

બીજા દિવસે TAT, વર્ડ એસોસિએશન ટેસ્ટ, સિચ્યુએશન રિએક્શન ટેસ્ટ અને સેલ્ફ ડીસ્ક્રીપ્શનનો સમાવેશ થાય છે. આ પરીક્ષણો ઉમેદવારની માનસિક સ્થિતિ, વિચારસરણી અને કુદરતી પ્રતિક્રિયાઓનું મૂલ્યાંકન કરે છે.

દિવસ 3 અને 4: ગ્રુપ ટેસ્ટિંગ અને ઇન્ટરવ્યુ

આ દિવસોમાં ગ્રુપ ચર્ચાઓ, ગ્રુપ ટાસ્ક, ઓબ્સ્ટેકલ રેસ, લેકચર અને પર્સનલ ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે. નેતૃત્વ કૌશલ્ય અને ટીમવર્ક પર ખાસ ભાર મૂકવામાં આવે છે.

પાંચમો દિવસ: કોન્ફોરેન્સ

અંતિમ દિવસે બધા બોર્ડ સભ્યો ઉમેદવારના પ્રદર્શનની ચર્ચા કરે છે. અંતિમ પસંદગી ભલામણો કરવામાં આવે છે. આ દિવસે SSB નક્કી કરે છે કે ઉમેદવાર ઓફિસર બનવા તરફ આગળ વધશે કે નહીં.