Career / CBIમાં સરકારી વકીલ તરીકે નોકરી મેળવવાની સુવર્ણ તક, જાણો કોણ કરી શકે છે અરજી

દેશની પ્રતિષ્ઠિત એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) માં સરકારી નોકરીનું સ્વપ્ન જોતા યુવાનો માટે સારા સમાચાર છે. CBIએ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરના પદ માટે ભરતીની જાહેરાત કરી છે. જેના માટે અરજીઓ શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ફક્ત સત્તાવાર વેબસાઇટ cbi.gov.in ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર, 2026 છે.
ભરતી માટે પાત્રતા અને માપદંડ
આ ભરતીમાં ભાગ લેવા માટે, ઉમેદવારોએ LLB ડિગ્રી પૂર્ણ કરી હોવી જોઈએ. તેમની પાસે બાર કાઉન્સિલમાં વકીલ તરીકે એનરોલમેંટ સર્ટિફિકેટ હોવું જોઈએ. તેમને સેશન્સ કોર્ટમાં ફોજદારી કેસ સંભાળતા બાર (BAR) માં અનુભવ હોવો જોઈએ. ઉમેદવારો પાસે સંબંધિત ક્ષેત્રમાં અન્ય અનુભવ પણ હોવો જોઈએ. વિગતવાર પાત્રતા માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન ચેક કરી શકો છો.
અરજી કેવી રીતે કરવી?
આ ભરતી માટે ફક્ત ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. ઓફલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. નોટિફિકેશનમાં આપેલા ફોર્મેટમાં અરજી ફોર્મ ભરી શકાય છે. ફોર્મ સાથે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જે નીચે મુજબ છે:
શૈક્ષણિક લાયકાત
- બાર કાઉન્સિલમાં વકીલ તરીકે એનરોલમેંટનું સર્ટિફિકેટ.
- સેશન્સ કોર્ટમાં ફોજદારી કેસોનું સંચાલન કરતા બાર (BAR) માં અનુભવ.
- ભારત સરકાર દ્વારા સમયાંતરે મંજૂર કરાયેલા સામાન્ય નિયમો અને શરતો પર કામ કરવાની બિનશરતી ઈચ્છા/સંમતિ.
- અરજદાર વકીલો દ્વારા હાથ ધરવામાં આવેલા મહત્ત્વપૂર્ણ કેસોની વિગતો.
- અરજદાર વકીલો દ્વારા હાથ ધરવામાં આવેલા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 હેઠળના કેસોની વિગતો.

