Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : The government has made a major change in the system of getting food grains

સરકારે અનાજ લેવાની વ્યવસ્થામાં કર્યો મોટો ફેરફાર, લાંબી લાઇન અને રાશનની અછતમાંથી મળશે રાહત!

Timeછેલ્લું અપડેટ : 22 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સરકારે અનાજ લેવાની વ્યવસ્થામાં કર્યો મોટો ફેરફાર, લાંબી લાઇન અને રાશનની અછતમાંથી મળશે રાહત!
સોર્સ : GSTV

દેશમાં રાશન મેળવવાની વ્યવસ્થાને વધુ સરળ અને સુવિધાજનક બનાવવા માટે સરકાર સતત ડિજિટલ ટેક્નોલોજી પર કામ કરી રહી છે. તાજેતરમાં જ સરકારે એક એવી ખાસ સુવિધા શરૂ કરી છે, જેના કારણે હવે રેશન કાર્ડ ધારકોએ અનાજ લેવા માટે કોઈ એક જ રેશનની દુકાન પર નિર્ભર રહેવું નહીં પડે. હવે તમે તમારી સગવડ મુજબ કોઈપણ રેશનની દુકાન પરથી અલગ-અલગ અનાજ મેળવી શકો છો; એટલે કે હવે તમે ઈચ્છો તો એક દુકાનેથી ઘઉં અને બીજી દુકાનેથી ચોખા લઈ શકશો.

App Store

આ ફેરફારની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે તમારે રાશન લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું, પોસ (POS) મશીનમાં અંગૂઠાની છાપ (બાયોમેટ્રિક) મેચ ન થવી અથવા દુકાનમાં અનાજ ઉપલબ્ધ ન હોવાને કારણે પૂરું રાશન ન મળવા જેવી મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે. હવે તમે તમારી જરૂરિયાત મુજબ, એક દુકાનેથી ઘઉં અને અન્ય કોઈ દુકાનેથી ચોખા પણ લઈ શકો છો. આ અંગેની સત્તાવાર માહિતી કેન્દ્રીય રાજ્ય મંત્રી બી. એલ. વર્માએ આપી છે.

શું છે વન નેશન વન રેશન કાર્ડ (ONORC) યોજના?

કેન્દ્રીય રાજ્ય મંત્રી બી. એલ. વર્માએ તેમની એક્સ (X - અગાઉનું ટ્વિટર) પોસ્ટમાં જણાવ્યું છે કે, સરકાર 'વન નેશન વન રેશન કાર્ડ' (ONORC) યોજના હેઠળ રાશન વિતરણ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. આ યોજના અંતર્ગત રેશન કાર્ડ ધારકો પોતાના રાશનનો અલગ-અલગ હિસ્સો પોતાની સગવડતા મુજબ જુદી-જુદી જગ્યાએથી લઈ શકે છે. તમે દેશના કોઈપણ ભાગમાંથી આ સુવિધાનો લાભ મેળવી શકો છો.

આ સુવિધા બિલકુલ એક એટીએમ (ATM) મશીનની જેમ જ કામ કરે છે. જેવી રીતે તમે તમારી જરૂરિયાત મુજબ કોઈપણ એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો, તેવી જ રીતે રાશન મેળવવા માટે પણ તમે દેશના કોઈપણ ખૂણેથી તમારું અનાજ મેળવી શકો છો.

શું છે ONORCના ફાયદા?

વન નેશન વન રેશન કાર્ડ યોજનાનો સૌથી મોટો ફાયદો પરપ્રાંતિય મજૂરો અને તેમના પરિવારોને મળશે. હવે તેમણે રાશન મેળવવા માટે પોતાના વતનની કે ગામની રાશનની દુકાન સાથે બંધાયેલા રહેવાની જરૂર નથી. તેઓ દેશના કોઈપણ રાજ્ય કે શહેરમાં રહીને પણ બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા પોતાના હિસ્સાનું રેશન સરળતાથી મેળવી શકે છે.