Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Sensex today: Market crashed due to tariff shock: Sensex fell 705 points, Nifty collapsed in expiry session, investors lost Rs 4 lakh crore

Sensex today: ટેરિફના મારથી બજાર તૂટ્યું: સેન્સેક્સ 705 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી એક્સપાયરી સેશનમાં ધરાશાયી,  રોકાણકારોના 4 લાખ કરોડ ડૂબ્યાં

Timeછેલ્લું અપડેટ : 28 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Sensex today: ટેરિફના મારથી બજાર તૂટ્યું: સેન્સેક્સ 705 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી એક્સપાયરી સેશનમાં ધરાશાયી,  રોકાણકારોના 4 લાખ કરોડ ડૂબ્યાં
સોર્સ : GSTV

Sensex today:  વૈશ્વિક બજારોના મિશ્ર વલણ અને ટ્રમ્પે લગાવેલા વધારાના ટેરિફના કારણે ભારતીય શેરબજારો ગુરુવારે 28 ઓગસ્ટે સપાટ સ્તરે ખૂલ્યા બાદ મોટા ઘટાડા સાથે બંધ રહયા હતાં. શેરબજારના કામકાજ દરમિયાન નીચલા સ્તરેથી લેવાલી નીકળવા છતાં બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી-50 અને સેન્સેક્સમાં વેચવાલી કરનારાઓ હાવી રહ્યા હતાં. અમેરિકાએ ભારતમાંથી આયાત પર 25% વધારાનો ટેરિફ લાદ્યો હોવાથી રોકાણકારો ચિંતિત છે. બજાર નિષ્ણાતો કહે છે કે આનાથી ટૂંકા ગાળામાં બજારો દબાણ હેઠળ રહી શકે છે. ઓગસ્ટ એફએન્ડઓ સિરીઝમાં સેન્સેક્સ અને નિફટીમાં લગભગ એક ટકાનો ઘટાડો નોંધાયો હતો.

App Store

30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ 30 પોઈન્ટ ઘટીને 80,754 પર ખુલ્યો. બેન્ચમાર્ક ઈન્ડેક્સ ખુલતાની સાથે જ તેમાં ઘટાડો વધુ તીવ્ર બન્યો. ટ્રેડિંગ દરમિયાન, તે 80,013 પોઈન્ટ પર સરકી ગયો. અંતે, તે 705.97 પોઈન્ટ અથવા 0.87 ટકા ઘટીને 80,080 પર બંધ થયો હતો.

એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)નો નિફ્ટી-50 પણ 24,695 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો. ફ્લેટ ઓપનિંગ પછી, ઇન્ડેક્સમાં વેચવાલીનું વર્ચસ્વ રહ્યું અને ઈન્ટ્રા-ડે ટ્રેડમાં તે 24,481 પર ગબડી ગયો. અંતે તે 211.15 પોઈન્ટ અથવા 0.85 ટકા ઘટીને 24,500 પર બંધ થયો.

મંગળવારે નિફ્ટી અને સેન્સેક્સ બંનેમાં લગભગ 1%નો ઘટાડો થયો હતો, જે ત્રણ મહિનામાં એક દિવસમાં થયેલો સૌથી મોટો ઘટાડો હતો. બુધવારે, સ્થાનિક બજારો સ્થાનિક રજાના કારણે બંધ રહ્યા હતા. તાજેતરના ઘટાડા સાથે, બે ટ્રેડિંગ સત્રોમાં બજારો લગભગ 2% ઘટ્યા છે.

મંગળવારે, 1 શેરની તેજીની સામે, 2 શેર ઘટ્યા. નિફ્ટી 24,500ની નજીક બંધ થયો. સત્ર દરમિયાન એક સમયે બજારમાં રિકવરી જોવા મળી, પરંતુ તે ટકી ન શકી અને 50માંથી 36 નિફ્ટી શેર ઘટાડા સાથે બંધ થયા.

રોકાણકારોના ચાર લાખ કરોડ ડૂબ્યા

બજારમાં ભારે ઘટાડાને કારણે રોકાણકારોને 4 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. મંગળવારે (26 ઓગસ્ટ) બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 449,95,068 કરોડ રૂપિયા હતું. બપોરે 3:35 વાગ્યે તે ઘટીને 4,45,43,453 કરોડ રૂપિયા થઈ ગયું. આમ, રોકાણકારોને 451,615 કરોડ રૂપિયાનું નુકસાન થયું.

ટોપ ગેનર્સ અને લૂઝર્સ

સેન્સેક્સની કંપનીઓમાં એટસીએલ ટેકના શેરમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો હતો. શેરમાં લગભગ ત્રણ ટકાનો ઘટાડો થયો હતો. ઈન્ફોસિસ, સન ફાર્મા, પાવર ગ્રીડ, ટીસીએસ, એચડીએફસી બેંક, હિન્દુસ્તાન યુનિલિવર મુખ્ય ઘટ્યા હતા. બીજી તરફ, ટાઇટન, એલ એન્ડ ટી, મારુતિ, એક્સિસ બેંક અને રિલાયન્સ લીલા નિશાનમાં હતા.

સેક્ટરલ ઈન્ડેક્સના  મોરચે, બધા સેક્ટરમાં વેચવાલી જોવા મળી. નિફ્ટી રિયલ્ટીમાં સૌથી વધુ ૧.૨૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી ફાર્મા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ, નિફ્ટી મેટલ અને નિફ્ટી પીએસયુ બેંક પણ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

ઓગસ્ટમાં એફઆઇઆઇએ રૂપિયા 2.66 અબજના શેર વેચ્યા

ટેરિફની ચિંતાઓ અને કંપનીઓ દ્વારા જૂન ક્વાર્ટરના નબળા પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જે ફેબ્રુઆરી પછી વિદેશી રોકાણકારો દ્વારા સૌથી મોટી વેચવાલી છે, તે વચ્ચે ઓગસ્ટમાં અત્યાર સુધીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ $2.66 બિલિયનના ભારતીય શેર વેચી દીધા છે.

વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો છે?

મંગળવારે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. મેઇનલેન્ડ ચીનનો સીએસઆઇ 300 ઇન્ડેક્સ 0.25 ટકા વધ્યો, જ્યારે જાપાનનો નિક્કી 0.22 ટકાના વધારા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો. તે જ સમયે, હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.66% ઘટ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.41% ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, કારણ કે રોકાણકારો બેંક ઓફ કોરિયાની નીતિ બેઠકના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.

બીજી તરફ, સોમવારે રાત્રે વોલ સ્ટ્રીટના મુખ્ય સૂચકાંકો લીલા રંગમાં બંધ થયા. S&P 500 એ નવી ઊંચાઈને સ્પર્શ કર્યો, જેમાં ઊર્જા અને આરોગ્યસંભાળ ક્ષેત્રોએ નોંધપાત્ર યોગદાન આપ્યું. બંધ સમયે, S&P 500 0.24%, Nasdaq 0.21% અને Dow Jones 0.32% ઉપર હતા.

જોકે, એનવિડિયાના શેર લગભગ 3% ઘટ્યા હતા. આ ડેટા સેન્ટર બિઝનેસમાં અપેક્ષા કરતા નબળા વેચાણને કારણે હતું, જે તાજેતરમાં જાહેર કરાયેલા પરિણામોમાં બહાર આવ્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વાતચીતના દરવાજા ખુલ્લા છે

અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર ૫૦% ની ઊંચી ટેરિફ લાદી હોવા છતાં, ભારત અને અમેરિકા વચ્ચે વાતચીતનો વિકલ્પ ખુલ્લો છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે બંને દેશો વર્તમાન પડકારોનો ઉકેલ શોધવાની શક્યતાઓ શોધી રહ્યા છે. ઉપરોક્ત અધિકારીએ કહ્યું, 'સંવાદના માર્ગો ખુલ્લા છે.'

બંને પક્ષો આ બાબતો કેવી રીતે આગળ વધશે તે અંગે ચિંતિત છે અને બંને પક્ષો આ મુદ્દાઓને ઉકેલવાના રસ્તાઓ પર વિચાર કરી રહ્યા છે. લાંબા ગાળાના સંબંધોમાં આ એક કામચલાઉ તબક્કો છે. સંવાદનો વિકલ્પ ખુલ્લો રાખવો મહત્વપૂર્ણ છે.