Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : MDR Charges on UPI: Who, how much and when to pay? Know A to Z information of new rules

UPI પર MDR ચાર્જ: કોને, કેટલો અને ક્યારે ચૂકવવો પડશે? જાણો નવા નિયમોની A to Z માહિતી

Timeછેલ્લું અપડેટ : 16 Sept 2026
લાઇવ ટીવીGoogle News
UPI પર MDR ચાર્જ: કોને, કેટલો અને ક્યારે ચૂકવવો પડશે? જાણો નવા નિયમોની A to Z માહિતી
સોર્સ : gstv

દેશમાં ડિજિટલ પેમેન્ટ (Digital Payment) માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી UPI વ્યવસ્થાને લઈને નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે. 15 ઓક્ટોબર 2026થી ચોક્કસ પ્રકારના વેપારીઓ માટે ₹2,000થી વધુના UPI પેમેન્ટ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ ચાર્જ દરેક વેપારી કે ગ્રાહક પર લાગુ નહીં થાય. નાના વેપારીઓને આ નિયમમાંથી રાહત આપવામાં આવી છે.

App Store

ગ્રાહક પાસેથી કોઈ ચાર્જ નહીં

નવા નિયમ મુજબ ₹2,000થી વધુની UPI ચુકવણી કરનાર ગ્રાહક પાસેથી કોઈ MDR વસૂલવામાં આવશે નહીં. આ ચાર્જ મુખ્યત્વે પર્સન ટુ મર્ચન્ટ (P2M) વ્યવહારોમાં ચોક્કસ વેપારીઓને લાગુ પડશે. એટલે કે ગ્રાહક UPIથી ચુકવણી કરે ત્યારે તેને અલગથી કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.

₹2,000થી વધુ પેમેન્ટ પર કેટલો MDR?

જે પાત્ર વેપારીઓ પર આ નિયમ લાગુ પડશે, તેમને ₹2,000થી વધુના પેમેન્ટ પર 0.40 ટકા MDR ચૂકવવાનો રહેશે. જોકે, પ્રતિ ટ્રાન્ઝેક્શન મહત્તમ ચાર્જ ₹300 સુધી મર્યાદિત રાખવામાં આવ્યો છે. એટલે કોઈ પણ પાત્ર વેપારી પાસેથી એક ટ્રાન્ઝેક્શન માટે ₹300થી વધુ MDR વસૂલવામાં નહીં આવે.

નાના વેપારીઓને મોટી રાહત

નાના વેપારીઓ, દુકાનદારો અને ચોક્કસ P2PM કેટેગરીના વેપારીઓને MDRમાંથી છૂટ આપવામાં આવી છે. જો QR કોડ મારફતે તેમની માસિક UPI આવક ₹1 લાખ સુધીની હોય, તો ₹2,000થી વધુની ચુકવણી મેળવવા છતાં તેમના પર MDR લાગુ નહીં થાય.

₹2,000થી ઓછી રકમના UPI પેમેન્ટ પર પણ MDR લાગુ નહીં થાય. એટલે નાના કે મોટા વેપારી—₹2,000થી ઓછી ચુકવણી માટે આ પ્રકારનો ચાર્જ નહીં ચૂકવવો પડે.

કુલ UPI વ્યવહારોમાંથી 5 ટકા પર અસર

સરકારની માર્ગદર્શિકા મુજબ ₹2,000થી વધુની ચુકવણી મેળવનારા મોટા વેપારીઓ કુલ UPI પેમેન્ટના આશરે 5 ટકા જેટલા છે. જ્યારે લગભગ 95 ટકા નાના વેપારીઓને નવા MDR મોડલથી બહાર રાખવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

શાકભાજી અને ચાની દુકાનોને શું અસર?

નાના શાકભાજી વેચનાર, ચાની દુકાન અથવા નાના વેપારીઓ માટે ખાસ રાહત છે. P2PM વ્યવસ્થા હેઠળ QR કોડથી તેમની માસિક આવક ₹1 લાખ સુધી રહે તો ₹2,000થી વધુના પેમેન્ટ પર પણ MDR શૂન્ય રહેશે.

ગ્રાહકો પાસેથી MDR વસૂલ કરી શકાશે નહીં

વેપારી પોતાના પર લાગતો MDR ચાર્જ ગ્રાહક પાસેથી અલગથી વસૂલ કરી શકશે નહીં. UPI મારફતે પેમેન્ટ કરવા બદલ ગ્રાહક પર વધારાનો ચાર્જ લાદવો નિયમવિરુદ્ધ ગણાશે. સાથે જ Google Pay, PhonePe અને Paytm જેવા પેમેન્ટ પ્લેટફોર્મ દ્વારા પણ યુઝર્સ પાસેથી આ MDRના નામે વધારાની પ્લેટફોર્મ ફી વસૂલવાની જોગવાઈ નથી.

ટેલિકોમ, વીમા અને પેટ્રોલ માટે અલગ નિયમ

ટેલિકોમ રિચાર્જ, વીમા પ્રીમિયમ, રેલવે ટિકિટ અને પેટ્રોલ-ડીઝલ જેવા કેટલાક ક્ષેત્રો માટે અલગ MDR મર્યાદા રાખવામાં આવી છે. ₹2,000થી વધુના પેમેન્ટ પર આવા ચોક્કસ વ્યવહારોમાં મહત્તમ ₹5 પ્રતિ ટ્રાન્ઝેક્શન સુધી ચાર્જ રાખવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

UPI ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવો મોડલ

નવા MDR મોડલ પાછળ UPI નેટવર્કનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવું, સર્વરની ક્ષમતા વધારવી અને સાયબર ફ્રોડ સામેની વ્યવસ્થા સુધારવા માટે નાણાકીય આધાર પૂરો પાડવાનો હેતુ જણાવવામાં આવ્યો છે. MDRમાંથી 5 ટકા રકમ ખાસ ફંડમાં જવાની અને ગ્રામ્ય વિસ્તારો તથા Tier-3 શહેરોમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે તેનો ઉપયોગ કરવાની પણ માહિતી આપવામાં આવી છે.

આ રીતે, નવા નિયમની સીધી અસર દરેક UPI યુઝર પર નહીં પડે. ખાસ કરીને ₹2,000થી ઓછી ચુકવણી અને નાના વેપારીઓ માટે MDRમાંથી રાહત રાખવામાં આવી છે, જ્યારે ચોક્કસ મોટા વેપારીઓ માટે જ આ ચાર્જ લાગુ થવાનો છે.