Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Indian Railways: Indian Railways created history! Finally left Britain, Russia and China behind, know the whole story

Indian Railways: ભારતીય રેલવેએ રચ્યો ઈતિહાસ! બ્રિટન, રશિયા અને ચીનને આખરે પાછળ છોડી દીધું, જાણો આખો મામલો

Timeછેલ્લું અપડેટ : 18 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Indian Railways: ભારતીય રેલવેએ રચ્યો ઈતિહાસ! બ્રિટન, રશિયા અને ચીનને આખરે પાછળ છોડી દીધું, જાણો આખો મામલો
સોર્સ : GSTV

Indian Railways: દેશની લાઈફલાઈન ગણવામાં આવી ભારતીય રેલવેએ એક એવો રેકોર્ડ બનાવ્યો છે જેને વિશ્વની મોટી રેલ શક્તિને પાછળ છોડી દીધી છે. ભારતીય રેલવેએ પોતાના બ્રોડગેજ નેટવર્કને 99.2 ટકા હિસ્સો ધરાવતી વીજળીથી સંચાલિત બનાવી દીધો છે. આનો અર્થ એ થયો કે, હવે મોટાભાગની ટ્રેનો ડીઝલના બદલે વીજળીથી ચાલશે. આ માત્ર ટેક્નિકલ મોટી સફળતા નથી પરંતુ આનાથી પર્યાવરણને પણ ખૂબ ફાયદો થશે. આ ઉપરાંત ઈંધણની બચત થશે. સૌથી મોટી એ વાત રહી કે, આ મામલે ભારત હવે બ્રિટન, રશિયા અને ચીન જેવા મોટા દેશો કરતાં આગળ નીકળી ગયું. જ્યાં આ દેશોમાં રેલવે નેટવર્કનો મોટો હિસ્સો હજી સંપૂર્ણ રીતે ઈલેકટ્રિક નથી. ત્યારે ભારત આશરે 100 ટકાના લક્ષ્યની સાથે નજીક પહોંચી ચૂક્યું છે. આ સિદ્ધિ દર્શાવે છે કે, ભારતીય રેલવે ઝડપથી આધુનિક અને પર્યાવરણની અનુકૂળ બની રહી છે.

App Store

રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, બ્રિટનમાં ફક્ત 39 ટકા, રશિયામાં 52 ટકા અને ચીનમાં 82 ટકા રેલવે નેટવર્કનું વીજળીકરણ થયું છે, જ્યારે ભારત લગભગ 100 ટકાના લક્ષ્ય સુધી પહોંચી ગયું છે. છેલ્લા દાયકામાં આ પરિવર્તન ઝડપી ગતિએ થયું છે. 2014 અને 2025 ની વચ્ચે, 46,900 રૂટ કિલોમીટર રેલવે લાઈનનું વીજળીકરણ કરવામાં આવ્યું હતું, જે પાછલા 60 વર્ષમાં પ્રાપ્ત થયેલા કુલ વીજળીકરણ કરતા બમણાથી વધુ છે.

 14 રેલવે ઝોનનું વીજળીકરણ
આજે, દેશના 14 રેલવે ઝોન સંપૂર્ણપણે વીજળીકરણ પામેલા છે, જેમાં મધ્ય, પૂર્વીય, ઉત્તરીય અને પશ્ચિમ રેલવે જેવા મુખ્ય ઝોનનો સમાવેશ થાય છે. વધુમાં, 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમના બ્રોડગેજ નેટવર્કનું 100 ટકા વીજળીકરણ પૂર્ણ કર્યું છે. ઉત્તરપૂર્વીય ભારતમાં, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા અને મિઝોરમમાં, સમગ્ર નેટવર્કનું વીજળીકરણ કરવામાં આવ્યું છે, જ્યારે આસામ 92 ટકા વીજળીકરણ સાથે અંતિમ તબક્કામાં છે.

પર્યાવરણને મુખ્ય ફાયદા
આ સિદ્ધિનો સૌથી મોટો ફાયદો પર્યાવરણને થશે. આંકડા અનુસાર, રેલ પરિવહન માર્ગ પરિવહન કરતાં લગભગ 89 ટકા ઓછો કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન કરે છે. પ્રતિ કિલોમીટર રોડ દ્વારા એક ટન માલનું પરિવહન 101 ગ્રામ કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન કરે છે, જ્યારે રેલ ફક્ત 11.5 ગ્રામ ઉત્સર્જન કરે છે. આ જ કારણ છે કે ભારતીય રેલવેને ગ્રીન ટ્રાન્સપોર્ટેશનનો આધાર માનવામાં આવે છે. ભારતીય રેલવે હવે ફક્ત વીજળીકરણ સુધી મર્યાદિત નથી. દેશભરના 2,626 રેલવે સ્ટેશનો પર 898 મેગાવોટ સૌર ઉર્જા પણ કાર્યરત કરવામાં આવી છે. સરકારનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં ભારતીય રેલવે નેટ-શૂન્ય કાર્બન ઉત્સર્જક બનાવવાનો છે.