Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Build Big Fund with Small Savings Every Month: Know Rules and Benefits of Post Office RD Scheme

દર મહિને નાની બચતથી બનાવો મોટું ફંડ: જાણો પોસ્ટ ઑફિસ RD સ્કીમના નિયમો અને ફાયદા

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2026
લાઇવ ટીવીGoogle News
દર મહિને નાની બચતથી બનાવો મોટું ફંડ: જાણો પોસ્ટ ઑફિસ RD સ્કીમના નિયમો અને ફાયદા
સોર્સ : gstv

જો તમે કોઈપણ પ્રકારના જોખમ વગર દર મહિને નાની-નાની બચત કરીને એક મોટું ફંડ બનાવવા માંગતા હોવ, તો પોસ્ટ ઑફિસ રિકરિંગ ડિપોઝિટ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. સામાન્ય રીતે પગાર આવતાં જ ઘણા લોકો પિગી બેંક કે સેવિંગ્સ એકાઉન્ટમાં પૈસા જમા કરાવે છે, જ્યાં વ્યાજ નહિવત મળે છે. તેની સરખામણીએ પોસ્ટ ઑફિસની 5 વર્ષની RD સ્કીમમાં સરકારની સંપૂર્ણ ગેરંટી સાથે વાર્ષિક 6.70%ના દરે કમ્પાઉન્ડિંગ વ્યાજ અને સુરક્ષિત રિટર્ન મળે છે.

App Store

શું છે પોસ્ટ ઑફિસ RD સ્કીમ?

રિકરિંગ ડિપોઝિટ (RD) એક એવી યોજના છે જેમાં રોકાણકારે દર મહિને પોતાની કમાણીમાંથી એક નિશ્ચિત રકમ જમા કરવાની હોય છે.

વ્યાજ દર: હાલ આ યોજનામાં વાર્ષિક 6.70% વ્યાજ મળે છે, જે ચક્રવૃદ્ધિ પદ્ધતિ મુજબ ગણાય છે.

મેચ્યોરિટી અને એક્સટેન્શન: આ સ્કીમની મુદત 5 વર્ષની હોય છે. 5 વર્ષ પૂરા થયા બાદ રોકાણકાર ઈચ્છે તો ખાતાને આગળના 5 વર્ષ માટે લંબાવી પણ શકે છે.

સંપૂર્ણ સુરક્ષા: આ સ્કીમમાં રોકાણ કરેલા એક-એક રૂપિયા પર ભારત સરકારની ગેરંટી હોય છે, જેથી જોખમ શૂન્ય રહે છે.

₹1,000, ₹2,000 અને ₹5,000 ના રોકાણ પર કેટલું ફંડ મળશે?

દર મહિને ₹1,000નું રોકાણ
5 વર્ષમાં કુલ જમા રકમ: ₹60,000
6.70%ના દરે મળવાપાત્ર વ્યાજ: આશરે ₹11,369
5 વર્ષે કુલ મળવાપાત્ર રકમ: આશરે ₹71,369
દર મહિને ₹2,000નું રોકાણ
5 વર્ષમાં કુલ જમા રકમ: ₹1,20,000
6.70%ના દરે મળવાપાત્ર વ્યાજ: આશરે ₹22,732
5 વર્ષે કુલ મળવાપાત્ર રકમ: આશરે ₹1,42,732
દર મહિને ₹5,000નું રોકાણ
5 વર્ષમાં કુલ જમા રકમ: ₹3,00,000
6.70%ના દરે મળવાપાત્ર વ્યાજ: આશરે ₹56,830
5 વર્ષે કુલ મળવાપાત્ર રકમ: આશરે ₹3,56,830

લોન, પ્રી-મેચ્યોર ક્લોઝર અને નોમિનેશનના નિયમો

લોન સુવિધા: જો ખાતાધારકે સતત 12 માસિક હપ્તા જમા કરાવ્યા હોય, તો ખાતામાં જમા થયેલી રકમના 50% સુધી લોન મેળવી શકાય છે. લોન પરનો વ્યાજ દર RDના વ્યાજ દર કરતાં 2% વધુ (એટલે કે 6.70% + 2% = 8.70% વાર્ષિક) હોય છે.

સમય પહેલાં ખાતું બંધ કરવાના નિયમ: રોકાણકાર 3 વર્ષ પૂર્ણ થયા બાદ પ્રી-મેચ્યોર ક્લોઝરનો વિકલ્પ પસંદ કરીને ખાતું બંધ કરી શકે છે.

ખાતાધારકના અવસાન બાદ?: ખાતાધારકનું અવસાન થાય તો નોમિની ક્લેમ કરી શકે છે અથવા નિયમ મુજબ ખાતું આગળ ચાલુ પણ રાખી શકે છે.

કોણ ખોલાવી શકે છે ખાતું અને કેટલી રકમથી શરૂઆત થાય?

ઓછામાં ઓછી રકમ: આ ખાતું માત્ર ₹100થી પણ શરૂ કરી શકાય છે.

પાત્રતા: કોઈપણ પુખ્ત વયની વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. આ ઉપરાંત વધુમાં વધુ 3 લોકો મળીને જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકે છે.

સગીર માટેના નિયમ: સગીરના નામે પણ ખાતું ખોલાવી શકાય છે. જો બાળકની ઉંમર 10 વર્ષ કે તેથી વધુ હોય, તો તે પોતે આ ખાતું ઓપરેટ કરી શકે છે.

ઉપલબ્ધતા: આ સ્કીમ દેશભરની તમામ પોસ્ટ ઑફિસમાં ઉપલબ્ધ છે.