EPFO નવો નિયમ: 36 મહિનાથી વ્યવહાર નથી કર્યો? તો તમારું ખાતું થઈ શકે છે બ્લોક, જાણો કઈ રીતે મેળવશો વ્યાજ સહિતની રકમ

EPFO new rules: સરકારે 7.11 લાખ નિષ્ક્રિય EPF ખાતાઓમાં જમા કરાયેલા 1,000 રૂપિયા સુધીના પૈસા પરત કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે વધુ બેલેન્સ ધરાવતા ખાતાઓ માટે, નિર્ધારિત પ્રક્રિયા દ્વારા દાવો કરવો ફરજિયાત રહેશે.
દેશભરના લાખો કામદારો અને તેમના પરિવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. તાજેતરની સમીક્ષા બેઠક બાદ, શ્રમ અને રોજગાર મંત્રાલયે 711,000 થી વધુ નિષ્ક્રિય ઈપીએફ ખાતાઓને સાફ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં દરેક ખાતામાં 1,000 સુધીની રકમ છે.
સમાચાર એજન્સી પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, આવા ખાતાઓમાં કુલ રૂપિયા 30.52 કરોડ (US ડોલર 1.2 મિલિયન) પડેલા છે, જે હવે સંબંધિત ખાતાધારકો અથવા તેમના કાનૂની વારસદારોને પરત કરવામાં આવશે. આ સમગ્ર મામલો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન સાથે સંબંધિત છે. આ રકમ સીધી એવા લોકોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જેમનું આધાર સીડિંગ અને કેવાયસી પૂર્ણ થયું છે. જો ખાતાધારકનું મૃત્યુ થયું હોય, તો ચુકવણી નોમિની અથવા કાનૂની વારસદારને કરવામાં આવશે.
1,000થી વધુ બેલેન્સ ધરાવતા ખાતાઓનું શું થશે?
સરકારે હાલમાં ફક્ત રૂપિયા 1,000 સુધીના બેલેન્સ ધરાવતા નિષ્ક્રિય ખાતાઓનું જ આપમેળે સમાધાન કરવાનો નિર્ણય લીધો છે. આ રકમથી વધુ બેલેન્સ ધરાવતા ખાતાઓનું તાત્કાલિક સમાધાન કરવામાં આવશે નહીં. આ ખાતાઓ ક્લિયર કરવા માટે એક નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવું પડશે.
EPF ખાતું ક્યારે નિષ્ક્રિય ગણવામાં આવે છે?
EPFOની 2 ઓગસ્ટ, 2024ની માનક સંચાલન પ્રક્રિયા અનુસાર, જો સતત 36 મહિના સુધી કોઈ જમા અથવા ઉપાડ ન થાય તો ખાતું નિષ્ક્રિય જાહેર કરવામાં આવે છે. એકવાર નિષ્ક્રિય થઈ ગયા પછી, અનધિકૃત ઉપાડ અટકાવવા માટે ખાતું આપમેળે બ્લોક થઈ જાય છે.
નિવૃત્તિ અંગેના નિયમો પણ સ્પષ્ટ છે. જો કોઈ કર્મચારી ૫૫ વર્ષ કે તેથી વધુ ઉંમરે નિવૃત્ત થાય છે, તો તેમનું ખાતું ૩૬ મહિના પછી નિષ્ક્રિય થઈ જાય છે અને વ્યાજ મળવાનું બંધ થઈ જાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારી 58 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે, તો તેમને 58 વર્ષની ઉંમર સુધી વ્યાજ મળશે.
જો કોઈ વ્યક્તિ 50 વર્ષની ઉંમરે સ્વૈચ્છિક નિવૃત્તિ લે છે, તો પણ તેમને 58 વર્ષની ઉંમર સુધી વ્યાજ મળશે, કારણ કે 58 વર્ષની ઉંમરે ખાતું નિષ્ક્રિય માનવામાં આવશે. તેવી જ રીતે, જો કોઈ કર્મચારી 60 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે, તો તેમને 63 વર્ષની ઉંમર સુધી વ્યાજ મળશે.
જો કોઈ કર્મચારીનું સેવા દરમિયાન મૃત્યુ થાય છે, તો પણ ત્રણ વર્ષ પછી ખાતું નિષ્ક્રિય થઈ જાય છે. આવા કિસ્સાઓમાં, પરિવાર અથવા વારસદારોએ વ્યાજ ગુમાવવાનું ટાળવા માટે સમયસર દાવો દાખલ કરવો જોઈએ.
રૂપિયા 1,000થી વધુ બેલેન્સ ધરાવતા નિષ્ક્રિય EPF ખાતામાંથી ભંડોળ ઉપાડવાની પ્રક્રિયા
જો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં તમારું ખાતું નિષ્ક્રિય થઈ ગયું હોય અને રૂપિયા 1,000થી વધુ બેલેન્સ હોય, તો તમારે નીચેના પગલાંઓનું પાલન કરવું આવશ્યક છે.
1. તમારા UAN અને KYCની ચકાસણી કરો
સૌથી પહેલા તો એ સુનિશ્ચિત કરો કે યુએએન સક્રીય છે કે કેમ.
આધાર કાર્ડ, પાન કાર્ડ, બેન્ક ખાતાની વિગતો પોર્ટલ પર અપડેટ થયેલી અને સત્યાપિત થયેલી હોવી જોઇએ.
જો કેવાયસી અધૂરી હોય તો ઓન લાઇન ક્લેમ સ્વીકારવામાં આવશે નહીં.
2. નિષ્ક્રિય ખાતા અનબ્લોક કરવા માટે વિનંતિ કરો.
ઈપીએફઓના મેમ્બર પોર્ટલ પર લોગિન કરો.
હેલ્પ ડેસ્ક અથવા ઈનઓપરેટિવ એકાઉન્ટ, આસિસ્ટન્સનો વિકલ્પ પસંદ કરો.
અન બ્લોકની રિકવેસ્ટ મોકલો.
આ રિકવેસ્ટ તમારા અંતિમ નિયોક્તા પાસે વેરિફિકેશન માટે જશે.
નોકરીદાતાની પુષ્ટિ પછી, આ બાબત સંબંધિત EPF અધિકારીને મોકલવામાં આવશે.
જો ખાતામાં મોટી રકમ હશે, તો વરિષ્ઠ અધિકારીની મંજૂરીની પણ જરૂર પડી શકે છે.
3. ખાતું અનબ્લોક થયા પછી ઓનલાઈન દાવો કરો
EPFO પોર્ટલ પર લોગ-ઈન કરો.
ઓનલાઈન સેવાઓ પર જાઓ અને દાવો વિકલ્પ પસંદ કરો.
સંપૂર્ણ અને અંતિમ ઉપાડ માટે ફોર્મ 19 પસંદ કરો.
OTP દ્વારા બેંક વિગતો ચકાસો.
દાવો સબમિટ કરો અને સંદર્ભ નંબર દ્વારા સ્થિતિ ટ્રૅક કરો.
4. જો ઓનલાઇન પ્રક્રિયા સંભવ ન હોય તો શું કરવું
ફોર્મ નં. 19 મેન્યુઅલ રૂપથી ભરો. અધારકાર્ડ, પાન કાર્ડ બેનેક પાસબૂક સાથે નજીકની ઇપીએફ કચેરીએ જાવ.
દસ્તાવેજોની ચકાસણી થયા પછી ચુકવણી પ્રક્રિયા પૂર્ણ થશે.
5. મહત્વપૂર્ણ ટિપ્સ
જો તમે નોકરી બદલો છો, તો તમારા જૂના EPF ખાતાને નવા નોકરીદાતાને ટ્રાન્સફર કરો.
જો તમે હવે નોકરી કરતા નથી, તો તાત્કાલિક ભંડોળ ઉપાડો.
લાંબા સમય સુધી ખાતાને નિષ્ક્રિય ન રાખો, નહીં તો વ્યાજ લાભો બંધ થઈ શકે છે.
આ પગલાંઓનું પાલન કરીને, તમે રૂ. 1,000થી વધુ બેલેન્સ ધરાવતા નિષ્ક્રિય EPF ખાતામાંથી સુરક્ષિત અને નિયમિત ઉપાડ કરી શકો છો.

