Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Government's big plan! The way petrol is supplied may change soon

VIDEO: Auto News / સરકારનો મોટો પ્લાન! ટૂંક સમયમાં બદલાઈ શકે છે પેટ્રોલ પુરાવવાની રીત

Timeછેલ્લું અપડેટ : 28 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભારતમાં ટૂંક સમયમાં પેટ્રોલ પંપો પર ગ્રાહકોને પોતાની ગાડી મુજબ અલગ-અલગ પ્રકારનું ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પસંદ કરવાનો વિકલ્પ મળી શકે છે. સરકાર E20, E22, E25 અને E30 જેવા કેટલાક ઇથેનોલ બ્લેન્ડેડ (મિશ્રિત) પેટ્રોલ બજારમાં લાવવાની તૈયારી કરી રહી છે. આનો હેતુ ક્રૂડ ઓઇલ (કાચા તેલ)ની આયાત પર નિર્ભરતા ઘટાડવાનો અને સ્વચ્છ બળતણને પ્રોત્સાહન આપવાનો છે.

App Store

સરકારે સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમની સાથે-સાથે ખાનગી કંપનીઓ જિઓ-બીપી મોબિલિટી, નાયરા એનર્જી અને શેલ (Shell) ને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાના નિર્દેશ આપ્યા છે.

પેટ્રોલ પંપો પર અલગ-અલગ લેબલિંગ થશે

નવી વ્યવસ્થા હેઠળ પેટ્રોલ પંપો પર દરેક ઇથેનોલ મિશ્રણવાળા ઇંધણની અલગ ઓળખ હશે. ડિસ્પેન્સર (પંપ મશીન) પર સ્પષ્ટપણે લખવામાં આવશે કે પેટ્રોલમાં કેટલું ઇથેનોલ મિશ્રિત છે, જેથી ગ્રાહકો પોતાની ગાડીના હિસાબે સાચો વિકલ્પ પસંદ કરી શકે. આ માટે અલગ સ્ટોરેજ ટેન્ક, બ્લેન્ડિંગ સિસ્ટમ અને ક્વોલિટી મોનિટરિંગ વ્યવસ્થા પણ તૈયાર કરવામાં આવશે.

હાલમાં દેશના મોટાભાગના પેટ્રોલ પંપો પર E20 પેટ્રોલ મળી રહ્યું છે. જો કે, ઇથેનોલ ઉદ્યોગ લાંબા સમયથી 20 ટકાથી વધુ બ્લેન્ડિંગની માંગ કરી રહ્યો હતો. ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં ઇથેનોલનું ઉત્પાદન હવે જરૂરિયાત કરતાં વધુ થઈ ચૂક્યું છે, તેથી નવા વિકલ્પો લાવવા જરૂરી છે.

ક્રૂડ ઓઇલ પર નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ

ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ વપરાશકાર દેશ છે અને પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી કટોકટી અને ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉતાર-ચઢાવ વચ્ચે સરકાર ઇથેનોલને એક મોટા વિકલ્પ તરીકે જોઈ રહી છે.

સરકારી આંકડાઓ અનુસાર, નવેમ્બર 2014 થી ફેબ્રુઆરી 2026 વચ્ચે ઇથેનોલ બ્લેન્ડિંગથી દેશને આશરે 1.7 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. સાથે જ કાર્બન ઉત્સર્જનમાં પણ મોટો ઘટાડો થયો છે.

માઇલેજ અને એન્જિનને લઈને ચર્ચા ચાલુ

જો કે, વધુ ઇથેનોલવાળા પેટ્રોલને લઈને લોકોમાં માઇલેજ અને એન્જિનની પરફોર્મન્સ અંગે ચિંતા સેવાઈ રહી છે. પરંતુ સરકારનું કહેવું છે કે E20 જેવા ઇંધણથી ગાડીનું પિકઅપ બહેતર બને છે અને માઇલેજમાં બહુ ફરક પડતો નથી. નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં ભારતમાં પણ બ્રાઝિલની જેમ ગ્રાહકો પોતાની જરૂરિયાત મુજબ અલગ-અલગ ઇથેનોલ બ્લેન્ડવાળું પેટ્રોલ પસંદ કરી શકશે.