Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : S. Jaishankar holds talks with Gulf foreign ministers, emphasizes security of Indians

તણાવ વચ્ચે એસ. જયશંકરે ગલ્ફના વિદેશ મંત્રીઓ સાથે કરી વાતચીત, ભારતીયોની સુરક્ષા પર મૂક્યો ભાર

Timeછેલ્લું અપડેટ : 01 Mar 2026
લાઇવ ટીવીGoogle News
તણાવ વચ્ચે એસ. જયશંકરે ગલ્ફના વિદેશ મંત્રીઓ સાથે કરી વાતચીત, ભારતીયોની સુરક્ષા પર મૂક્યો ભાર
સોર્સ : GSTV

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે અનેક ગલ્ફ દેશોના તેમના સમકક્ષો સાથે વાતચીત કરી હતી અને વાતચિત દ્વારા પરિસ્થિતિને થાળે પાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

App Store

તેમણે જણાવ્યું હતું કે ભારત વણસતી જતી પરિસ્થિતિ અંગે ચિંતિત છે. તેમણે પ્રાદેશિક શાંતિ અને ત્યાં વસતા ભારતીય સમુદાયની સુરક્ષામાં ભારતના ઊંડા હિત પર પ્રકાશ પાડ્યો હતો.

મહત્વની ચર્ચાઓ અને સોશિયલ મીડિયા પોસ્ટ:

વર્તમાન પરિસ્થિતિ

અગાઉ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇઝરાયેલ દ્વારા ઈરાન પર મિસાઈલ હુમલા બાદ અમેરિકાએ પણ ઈરાનમાં "મોટા લશ્કરી ઓપરેશન" શરૂ કર્યા છે. દરમિયાન, ઈરાને વળતો પ્રહાર કરતા અનેક અખાતી દેશોમાં ઇઝરાયેલ અને અમેરિકાની સંપત્તિઓને નિશાન બનાવી છે. ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક સ્થળોએ વિસ્ફોટોના અવાજો સંભળાયા છે.

હુમલાઓના આ વિનિમયને કારણે આ ક્ષેત્રના અનેક દેશોએ પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસે શનિવારે UAEમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે બિનજરૂરી મુસાફરી ટાળવાની એડવાઈઝરી પણ જારી કરી છે.