Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Relief news for Rohit Sharma's fans! BCCI made a big announcement about retirement from ODIs

VIDEO: રોહિત શર્માના ફેન્સ માટે રાહતના સમાચાર! ODIમાંથી નિવૃત્તિ અંગે BCCIએ કર્યો મોટો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતીય ક્રિકેટ ટીમની ભવિષ્યની યોજનાઓમાંથી રોહિત શર્માને બહાર કરી દેવાયો હોવાની અફવાઓ પર BCCIએ મોટો ખુલાસો કર્યો છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે રવિવારે ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સના મેદાન પર રમાનારી ત્રીજી ODI મેચ રોહિત શર્માની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ નથી. રોહિત પહેલાથી જ ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો હોવાથી ODIમાંથી પણ તેની નિવૃત્તિની ચર્ચાએ જોર પકડ્યું હતું.

App Store

નિવૃત્તિની વાતો માત્ર અટકળો

BCCI સચિવ દેવજીત સૈકિયાએ PTI સાથેની વાતચીતમાં નિવૃત્તિના અહેવાલોને ખોટા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે, "રોહિત શર્માના ભવિષ્યને લઈને મીડિયામાં ઘણી અટકળો ચાલી રહી છે, પણ લોર્ડ્સમાં રોહિત પોતાની છેલ્લી મેચ રમશે તેવી કોઈ જ ચર્ચા થઈ નથી."

ટીમ સાથે જ રહેશે રોહિત

BCCI સચિવે રોહિત શર્માના ટીમમાં સ્થાન અંગેની સ્થિતિ વધુ સ્પષ્ટ કરી છે. તેમણે ઉમેર્યું કે, "રોહિત ODI ટીમનો નિયમિત સભ્ય છે અને જ્યાં સુધી તે ટીમની યોજનાઓનો ભાગ છે ત્યાં સુધી દેશ માટે રમતો રહેશે."

કેમ શરૂ થઈ હતી આ ચર્ચા?

રાષ્ટ્રીય પસંદગીકારોએ રોહિતને 2027ના ODI વર્લ્ડ કપની યોજનાઓમાંથી બહાર રાખવાની વાત કહી હોવાના અહેવાલો મીડિયામાં આવ્યા હતા. આ મેનેજમેન્ટની ભવિષ્યની યોજનાઓ સાથે જોડાયેલી વાતો સામે આવ્યા બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે રોહિત રવિવારની મેચ પછી નિવૃત્તિ જાહેર કરી શકે છે, પરંતુ બોર્ડે હવે આવી તમામ વાતોને નકારી દીધી છે.