VIDEO: IND vs SL: રવિન્દ્ર જાડેજાની એક જ ભૂલ અને ભારતને થયું મોટું નુકસાન, ભારતીય ટીમના જશ્ન પર ફેરવ્યું પાણી
ભારત અને શ્રીલંકા વચ્ચે ગૌલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટની ચોથી ઈનિંગ્સમાં એક ચોંકાવનારી ઘટના જોવા મળી હતી. શ્રીલંકન કેપ્ટન ધનંજય ડી સિલ્વાને પોતાની જાાદુઈ સ્પિનના જાળમાં ફસાવવા છતાં, સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પોતાની એક જૂની ભૂલના કારણે વિકેટની ઉજવણી કરવાથી વંચિત રહેવું પડ્યું હતું. ઈનિંગ્સની 16મી ઓવરના છેલ્લા બોલ પર ડી સિલ્વા ફર્સ્ટ સ્લિપમાં પોતાનો કેચ આપી બેઠા હતાં, પરંતુ જાડેજાનો પગ ક્રીઝથી બહાર નીકળી જવાના કારણે તેને નો-બોલ કરાર આપવામાં આવ્યો, જેણે ટીમની ઉજવણી પર પાણી ફેરવી દીધું હતું.
જાદુઈ બોલ પર આપ્યો થાપો
સામાન્ય રીતે ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાના સીધા રહેતા બોલ બેટ્સમેનો માટે સૌથી મોટો ખતરો બને છે, જેનાથી તે એ LBW અથવા બોલ્ડ થવાના ડરમાં રહે છે. પરંતુ આ વખતે 16મી ઓવરના છેલ્લા બોલ પર જાડેજાએ શાનદાર વેરિએશન (વિવિધતા) બતાવી હતી. જાડેજાએ બોલને ઝડપથી સ્પિન કરાવ્યો હતો, જે બેટના મધ્ય ભાગને પૂરી રીતે થાપો આપીને નીકળ્યો હતો. બોલે બેટની હળવી બહારની કિનારી લીધી અને સીધો ફર્સ્ટ સ્લિપમાં રહેલા કે.એલ. રાહુલના હાથમાં જતો રહ્યો હતો. આ બોલ પર ડી સિલ્વા પાસે બચાવનો કોઈ મોકો નહોતો અને ભારતીય ખેમો મોટી વિકેટની ઉજવણીમાં ડૂબી ગયો હતો.
ઉજવણી પર ફરી વળ્યું પાણી, ચોથી વાર થઈ ભૂલ
ભારતીય ખેલાડીઓની આ ઉજવણી ક્ષણભરમાં જ નિરાશામાં ફેરવાઈ ગઈ હતી, જ્યારે ફીલ્ડ અંપાયરે નો-બોલનો ઈશારો કર્યો હતો. રિપ્લેમાં સ્પષ્ટ દેખાયું કે જાડેજાનો પગ પોપિંગ ક્રીઝથી આગળ નીકળી ચૂક્યો હતો. આ ગૌલ ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજા તરફથી ફેંકવામાં આવેલો આ ચોથો નો-બોલ હતો.
એક સ્પિન બોલર માટે ટેસ્ટ મેચમાં વારંવાર નો-બોલ ફેંકવો એ ચિંતાનો વિષય માનવામાં આવે છે, અને જ્યારે આવી ભૂલ પર સામે વાળી ટીમના કેપ્ટનની મોટી વિકેટ હાથમાંથી નીકળી જાય, તો તે ટીમ ઈન્ડિયા માટે વધુ ભારે સાબિત થયું. આ જીવનદાનના સહારે શ્રીલંકન કેપ્ટન ધનંજય ડી સિલ્વા ક્રીઝ પર ટકી રહેવામાં સફળ રહ્યા હતાં.

